દ્વારકાના ભડકેશ્વર મહાદેવમાં વાવાઝોડાની અસર જોવા મળી છે. દરિયાના જોવા કરંટ જોવા મળ્યો છે. સરકાર દ્વારા બનાવેલી રક્ષણાત્મક દિવાલ પણ પડી ગઇ છે. તેમજ પથ્થરોથી બનાવેલી રક્ષણ દિવાલ પણ વેર વિખેર થઇ ગઇ છે. ભડકેશ્વર મહાદેવ મંદિર તરફ જતા માર્ગ પર પથ્થર પહોંચી ગયા છે. દરિયામાં વાવાઝોડાના કારણે કરંટ હજુ યથાવત છે.