સનાતન પરંપરામાં વ્યક્તિના જીવનની શરૂઆતથી લઈ અંતિમ યાત્રા સુધી ગંગા સાથે જોડાયેલું છે. જીવતે જીવ કોઈ પાપથી મુક્તિ માટે તો કોઈ મોક્ષની કામના લઈને ગંગામાં ડૂબકી લગાવે છે. ત્યારે અંતિમ સંસ્કાર બાદ તેની અસ્થિઓ સુધી તે જ ગંગાના પ્રવાહમાં વિસર્જન કરવામાં આવે છે.
જ્યારે પૃથ્વી પર થયુ ગંગાનું અવતરણ
હરિદ્વારના તીર્થ પુરોહિત ઉજ્જવલ પંડિત જણાવે છે કે હરિદ્વાર હંમેશાથી ઋષિ-મનિઓની તપોભૂમી રહી છે. હરિદ્વારની હરી કી પૌડીમાં અસ્થિ વિસર્જનનું ખુબ વધારે મહત્વ છે. ઉજ્જવલ જણાવે છે કે રાજા સાગરના વંશજ રાજા ભાગીરથે પોતાના પિતૃઓના ઉદ્ધાર માટે ઘોર તપસ્યા કરી તેમજ ગંગાને ધરતી પર લાવ્યા.
સ્પર્શ માત્રથી મળે છે મોક્ષ
સ્વર્ગથી ઉતરીને મા ગંગા ભગવાન શિવજીની જટાઓ મારફતે રાજા ભાગીરથના પાછળ પાછળ ચાલી આવી હતી. જ્યારે રાજા ભાગીરથ ગંગા નદીને લઈ હરિદ્વાર પહોંચ્યા ત્યારે સાગર પૌત્રોના ભસ્મ થયેલા અવશેષોને ગંગાના સ્પર્શ માત્રથી મોક્ષ પ્રાપ્ત થયો હતો. તે સમયથી જ હરિદ્વારના આ પાવન ઘાટ પર અસ્થિ વિસર્જન થવા લાગ્યું. માન્યતા છે કે જ્યાં સુધી ગંગામાં વ્યક્તિની અસ્થિઓ રહે છે ત્યાં સુધી તેને સ્વર્ગનો અધિકાર મળી રહે છે. આ પવિત્રતાને ધ્યાનમાં રાખીને અંતિમ સમયમાં પણ વ્યક્તિના મોઢામાં ગંગાજળ નાખવામાં આવે છે.
આવી રીતે મળ્યુ બ્રહ્માનું વરદાન
પૌરાણિક કથાઓના અનુસાર રાજા સ્વેતે હર કી પૌડીમાં ભગવાન બ્રહ્માની ઘોર તપસ્યા કરી હતી. જેનાથી પ્રસન્ન થઈને બ્રહ્માજીએ તેમને વરદાન માંગવા કહ્યુ હતુ. ત્યારે રાજા સ્વેતે તેમની પાસે હર કી પૌડીને ઈશ્વરના નામથી ઓળખવામાં આવે એવું વરદાન માંગ્યુ હતુ. તે સમયથી હર કી પૌડીના પાણીને બ્રહ્મકુંડના નામથી ઓળખવામાં આવે છે.