દેશમાં કોરોના કેસોમાં ઊછાળો આવતા કેન્દ્ર સરકારે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને ટેસ્ટિંગ વધારવાનો નિર્દેશ આપ્યો છે.
ભારતમાં કોરોનાના કેસમાં મોટો ઉછાળો
તમામ રાજ્યોને કેન્દ્રનો નવો આદેશ
ટેસ્ટિંગ વધારવામાં કચાશ ન રાખતા
કેન્દ્ર સરકારે વધુ એક વાર રાજ્યોને કોરોના ટેસ્ટિંગ વધારવાનો આદેશ આપ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના એડિશનલ સચિવ આરતી આહુજાએ રાજ્યોને લેટર પાઠવીને જણાવ્યું કે તમામ રાજ્યો કોરોના ટેસ્ટિંગ વધારે.
ઘણા રાજ્યોએ કોરોના ટેસ્ટિંગ ઘટાડી દેતા કેન્દ્ર ચિંતિત
એડિશનલ સચિવ આરતી આહુજાએ લેટરમાં જણાવ્યું કે હાલમાં ઓમિક્રોન સમગ્ર દેશમાં ફેલાઈ રહ્યો છે. મંત્રાલયના પહેલા લેટર અને ગત વર્ષે 27 ડિસેમ્બરે ઓમિક્રોનના સંદર્ભમાં મહામારી પ્રબંધનની વ્યાપક રુપરેખા તૈયાર કરવાની ગૃહમંત્રાલયની સલાહનો ઉલ્લેખ કરીને આહુજાએ કહ્યું કે કોરોના કાળમાં ટેસ્ટિંગ મહત્વપૂર્ણ છે. જોકે આઈસીએમઆર પોર્ટલ પર ઉપલબ્ધ આંકડા પરથી સ્પસ્ટ દેખાય છે કે ઘણા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના ટેસ્ટિંગમાં ઘટાડો આવ્યો છે.
ટેસ્ટિંગ વધારવાથી સંક્રમણ પર લાગશે બ્રેક
આરતી આહુજાએ લેટરમાં જણાવ્યું કે આઈસીએમઆર દ્વારા જારી તમામ સલાહ સૂચનોમાં ત્વરિત આઈસોલેશન અને ટેસ્ટિંગ ઝડપી બનાવવાનો છે. જે વધારે જોખમ ધરાવતા હોય અને સંવેદનશીલ હોય તેમના રણનીતિક તપાસ દ્વારા બીમારીને ગંભીર થતા અટકાવી શકાય છે.
નબળા છે અને ગીચ વિસ્તારમાં રહેતા લોકોની પદ્ધતિસરની તપાસ કરવાની જરુર
તેમણે રાજ્યોને વ્યૂહાત્મક રીતે કેન્દ્રીત તપાસની સલાહ આપી છે. તેમણે કહ્યું કે નવી સલાહને સ્વાસ્થ્ય મંત્રાલયના નિયમોની સાથે વાંચવાની જરુર છે જેમાં એવી પણ સલાહ સામેલ છે કે જેઓ નબળા છે અને ગીચ વિસ્તારમાં રહે છે તેમની પદ્ધતિસરની તપાસ કરવાની જરુર છે.
Ministry of Health & Family Welfare asks all States/UTs "to immediately increase testing in a strategic manner keeping in view the trend of case positivity in specific areas in the States/UTs" pic.twitter.com/oHSf8B0Efy
નબળા છે અને ગીચ વિસ્તારમાં રહેતા લોકોની પદ્ધતિસરની તપાસ કરવાની જરુર
ત્વરિત આઈસોલેશન અને ટેસ્ટિંગ ઝડપી બનાવો
કેટલાક રાજ્યોએ કોરોના ટેસ્ટિંગ ઘટાડી દેતા કેન્દ્ર ચિંતિત
કોરોનાના હળવા, મધ્યમ અને ગંભીર લક્ષણો માટે વિવિધ દવાઓના ડોઝની ભલામણ
કોરોનાના ઇલાજ માટે નવી ક્લિનિકલ ગાઇડલાઇન જાહેર
કેન્દ્ર સરકારે કોરોનાના ઇલાજ માટે નવી ક્લિનિકલ ગાઇડલાઇન જાહેર કરી છે. જેમાં સ્ટીરોઇડ દવાનો ઉપયોગ ન કરવા માટે ખાસ સલાહ આપવામાં આવી છે જેમાં કહેવામાં આવ્યુ છે કે કોરોનાના હળવા, મધ્યમ અને ગંભીર લક્ષણો માટે વિવિધ દવાઓના ડોઝની ભલામણ કરવામાં આવી છે. સાથે એમ પણ કહેવામાં આવ્યુ છે કે જો કોઈની ખાંસી બે-ત્રણ અઠવાડિયા સુધી મટે નહી તો તો તેણે ટીબી અથવા અન્ય કોઈ રોગ માટે પરીક્ષણ કરાવવું જોઈએ.