આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ (IMF) એ જણાવ્યું છે કે ભારતની હાલની આર્થિક સ્થિતિ અમારા પૂર્વ અનુમાન કરતાં પણ કમજોર છે અને તેમાં જલ્દી જ મહત્વાકાંક્ષી સંરચનાત્મક અને નાણાંકીય સુધાર કરવાની જરૂરિયાત છે, જેના કારણે ટૂકાગાળામાં જ ટ્રેઝરીમાં વધારો થાય. તેને ભારતે એક રણનીતિ હેઠળ કામ કરવું પડશે.
ભારતની આર્થિક સ્થિતિ પર IMFનું નિવેદન
ભારતમાં રાજકોષીય નુકસાન ઓછું કરવા સુધારાની જરૂર
અર્થવ્યવસ્થામાં સુધારાની ખુબ જરૂરત
નાણા મંત્રી સીતારમણે 1 ફેબ્રુઆરીના રોજ લોકસભામાં બજેટ રજૂ કર્યૂં હતું. કેન્દ્ર સરકારે આ બજેટને ધારદાર જણાવતાં કહ્યું કે ટૂંક સમયમાં મોટા સુધારાની આશા વ્યક્ત કરી હતી. જ્યારે આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ (IMF) ના પ્રવક્તા ગેરી રાઇસે કહ્યું કે ભારતમાં હાલ આર્થિક સ્થિતિ અમારા પૂર્વાનુમાનની સરખામણીએ કમજોર છે.
રાઇસે કહ્યું કે ભારતે જલ્દી જ મહત્વાકાંક્ષી સંરચનાત્મક અને નાણાકીય સુધારા કરવાની જરૂરિયાત છે. એટલે કે ભારત સરકાર દ્વારા અત્યાર સુધીમાં અર્થવ્યવસ્થાની સુસ્તી દૂર કરવા માટે લેવામાં આવેલા પગલાં ઓછા છે.
ઉલ્લેખનીય છે કે સરકાર ટેક્સ દ્વારા આવક ઉભી કરે છે અને ખર્ચ પણ કરે છે. જ્યારે સરકારનો ખર્ચ આવક કરતાં વધે છે તો તેને માર્કેટમાંથી વધારાની રકમ ઉધાર લેવી પડે છે. સરકારની કુલ કમાણી અને ખર્ચના અંતરને નાણાંકીય ખોટ (રાજકોષીય ઘાટા) કહેવામાં આવે છે. એટલે કે સરકાર જે રકમ ઉધાર લે છે તેને નાણાંકીય ખોટ કહી શકાય.
ઉલ્લેખનીય છે કે IMF એ જાન્યુઆરીમાં ભારતીય અર્થવ્યવસ્થામાં વધારાના અનુમાનને ઘણું ઘટાડી દીધુ છે. IMF એ કહ્યું કે નાણાંકીય વર્ષ 2019-20માં ભારતના GDP માં વધારા માત્ર 4.8 ટકા જેટલો રહેશે.
આમ IMF દ્વારા ભારતની આર્થિક સ્થિત પર નિવેદન આવ્યું છે કે ભારતમાં રાજકોષી નુકસાન ઓછુ કરવા સુધારાની જરૂર છે. ભારતે અર્થવ્યવસ્થામાં સુધારાની ખૂબ જરૂરિયાત છે. ભારતે એક વ્યૂહ રચના હેઠળ કામ કરવું પડશે. ભારત પર દેવુ વધી રહ્યું છે. IMF એ જણાવ્યું કે હાલ આર્થિક માહોલ પૂર્વ અનુમાનથી પણ નબળો છે.