IMF નો એક રીપોર્ટ આવ્યો છે જેમાં જણાવ્યું છે કે આવનાર પરિસ્થિતિ વધુ વિકટ થવાની સંભાવના છે. ઘણા લોકોમાં ગરીબીનો ભરડો લાગી જશે. અને જે હાલ ગરીબ છે તેમના માટે કપરી પરિસ્થિતિ આવી શકે છે.
IMF ના એક રીપોર્ટમાં કહ્યું આવનાર સમય કપરો
2022માં મોંઘવારી દર 5.7 ટકા રહે તેવું અનુમાન
જુલાઈ 2021 પછી 75 કેન્દ્રીય બેન્કોએ વ્યાજદરો વધાર્યા
દેશમાં અને દુનિયામાં આગામી સમય ખુબ જ ખરાબ રહેવાની શક્યતાઓ સેવાઈ રહી છે. વધતા ભાવ વધારા અને વધતા વ્યાજદરે મોંધવારીને વધારી છે. IMF નો એક રીપોર્ટ આવ્યો છે જેમાં જણાવ્યું છે કે આવનાર પરિસ્થિતિ વધુ વિકટ થવાની સંભાવના છે. ઘણા લોકોમાં ગરીબીનો ભરડો લાગી જશે. અને જે હાલ ગરીબ છે તેમના માટે કપરી પરિસ્થિતિ આવી શકે છે.
7 કરોડ લોકો ગરીબ બનશે
IMFએ જાહેર કરેલા રિપોર્ટમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, આગામી સમયમાં દુનિયાભરમાં 7 કરોડથી વધુ લોકો ગરીબી રેખા હેઠળ આવશે. અને હાલ જે લોકો પહેલાથી જ આ ગરીબી રેખા હેઠળ છે તેઓ વધુ ખરાબ સ્થિતિમાં પહોંચે તેવી શક્યતાઓ છે. કોરોનાની મહામારી અને રશિયા યુક્રેન યુદ્ધની અસરો દુનિયાના દેશો પર પડી છે. ત્યારે બધુ ઠીક થશે તેવુ અનુમાન હતું પરંતુ 2022 પૂરું થશે અને 2023નો સમયમાં મોંઘવારી ખુબ માઝા મુકે તેવી આશંકાઓ સેવાઈ છે. 2022માં મોંઘવારી દર 5.7 ટકા રહે તેવું અનુમાન કરાયું છે જયારે વિકાસશીલ દેશોમાં મોંઘવારી દર 8.7 ટકા રહેવાનું અનુમાન કરાયું છે.
આવનાર સમયમાં ભયંકર મંદી આવશે
IMFના પ્રમુખ ક્રિસ્ટીલીના જિયોર્જએવાએ બ્લોગ પર મંદીની આપી માહિતી. જુલાઈ 2021 પછી 75 કેન્દ્રીય બેંક આશરે 3.8 વખત વ્યાજ વધારી ચુકી છે. જેના લીધે સામાન્ય લોકોમાં લોનનો બોજો વધશે અને લોકોના ઈએમઆઈમાં પણ વધારો થશે. લોકોના જીવનસ્તર નીચે આવશે. દુનિયાભરમાં આગામી સમયમાં ખુબ જ ભારે મંદી આવશે