ભારતીય રિઝર્વ બેન્કના પૂર્વ ગવર્નર રધુરામ રાજનને આંતરરષ્ટ્રીય મુદ્રાકોષના પ્રમુખ ક્રિસ્ટાલિયા જૉર્જીવાના બહારી સલાહકાર સમુહના સભ્ય બનાવવામાં આવ્યા છે. તેમનો રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના ગવર્નર તરીકેનો કાર્યકાળ વર્ષ 2016ના રોજ પતી ગયો છે.
કોરોના વાયરસના કારણે દુનિયાની અર્થવ્યવસ્થા કથળી ગઈ છે
દુનિયાની ઈકોનોમીને પાટે ચઢાવવા માટે IMFએ નવી પહેલ કરી છે
12 અર્થશાસ્ત્રીઓનો સમૂહ, વિશ્વની અર્થવ્યવસ્થાને પાટે ચઢાવવા કામ કરશે
કોરોના વાયરસના પ્રકોપને કારણે ભારત સહિત દુનિયાની અર્થવ્યવસ્થા નબળી પડી રહી છે. આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે IMFના બહારના સલાહકાર સમુહનું સંગઠન બનાવવામાં આવ્યું છે. આ સમૂહમાં ભારતીય રિઝર્વ બેન્ક(RBI)નાં પૂર્વ ગવર્નર રધુરામ રાજનનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે રઘુરાન રાજન 3 વર્ષ માટે ભારતીય રિઝર્વ બેન્કના ગવર્નર રહી ચૂક્યા છે. તેઓ હાલમાં શિકાગો યુનિવર્સિટીમાં પ્રોફેસર છે. આરબીઆઈના ગવર્નર તરીકે તેમને કાર્યકાળ 2016માં પુરો થઈ ગયો છે. એ બાદ ઉર્જતિ પટેલે કેન્દ્રીય બેંકની કમાન સંભાળી હતી. ઉર્જિત પટેલના કાર્યકાળ દરમિયાન નોટબંધીનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
12 અર્થશાસ્ત્રીઓનો સમૂહ
IMFના પ્રમુખ ક્રિસ્ટાલિના જોર્જીવાએ કહ્યુ કે રધુરાન રાજન અને 11 અન્ય અર્થશાસ્ત્રીઓને બહારી સલાહકાર સમૂહના સભ્ય બનાવવામાં આવ્ય છે. IMFના આ સમૂહમાં સિંગાપુરના વરિષ્ઠ મંત્રી તારમણ ષણમુગરત્નમ, મૈસચુએટ્સ ઈનસ્ટીટ્યુટ ઓફ ટેક્નોલોજીની પ્રોફેસર ક્રિસ્ટીન ફોર્બ્સ, ઓસ્ટ્રેલિયાના પૂર્વ પ્રધાનમંત્રી કેવિન રુડ, સંયુક્ત રાષ્ટ્રના પૂર્વ ડેપ્યૂટી મહાસચિવ લોર્ડ માર્ક મલોક બ્રાઉનનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ સમૂહ શુ કામ કરશે?
આઈએમએફ પ્રમુખને આ સલાહકાર સમૂહ કોરોના સામે લડવાના સુચનો આપશે. આ ઉપરાંત દુનિયાની અર્થવ્યવસ્થા અને નીતિગત મુદ્દાઓની સમીક્ષા કરતા પોતાના મંતવ્યો આપશે. IMF પ્રમુખ જાર્જીવાએ કહ્યુ કે કોરોનાને લીધે સામે આવેલા પડકારોની પહેલાથી જ તેમના સભ્ય દેશો ઝડપથી બદલાતી દુનિયા તથા જટિલ નીતિગત મુદ્દાનો સામનો કરી રહ્યા છે. આવી પરિસ્થિતિને પહોંચી વળવા માટે મજબૂત પગલા ભરવાની જરુર છે.
તેમણે કહ્યું કે, ‘અમને આઈએમએમની અંદરના સ્ત્રોતની સાથે સાથે બહારના સ્ત્રોતની ગુણવત્તાયુક્ત સલાહ અને વિશેષજ્ઞતાની જરુર છે. મને આનંદ છે કે આ દિશામાં સેવા આપવા માટે ઉચ્ચ નીતિગત અનુભવો ધરાવતા લોકોથી લઈને બજાર તથા ખાનગી ક્ષેત્રના વિશેષજ્ઞ સહમત થયા છે.’