વરસાદ અને પૂરની પરિસ્થિતિઓના કારણે બિહારમાં તમામ રેલ વ્યવહાર ખોરવાયો છે. પૂર અને વરસાદના કારણે હાલ સુધીમાં 73 લોકોના મોત થયા છે. એક વાર ફરી વરસાદને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે જ પટનાની તમામ શાળાઓ 4 ઓક્ટોબર સુધી બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.
બિહારમાં ભારે વરસાદને કારણે આવ્યું પૂર, 73 લોકોના થયા મોત
પટનામાં વરસાદથી જનજીવન થયું પ્રભાવિત
ભારે વરસાદના કારણે હવામાન વિભાગે જાહેર કર્યું ઓેરેન્જ એલર્ટ
પટનાની તમામ શાળાઓ 4 ઓક્ટોબર સુધી બંધ રહેશે
ઓરેન્જ એલર્ટના પગલે 4 ઓક્ટોબર સુધી શાળાઓ બંધ
બિહારમાં ભારે વરસાદના કારણે હાલ સુધી 73 લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે. રાજધાની પટનામાં ભારે વરસાદ અને પૂરના કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે. હવામાન વિભાગે એક વાર ફરી રાજ્યના તમામ ભાગમાં ભારે વરસાદની આશંકા જણાવીને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. પટનાની દરેક શાળાઓ 4 ઓક્ટોબર સુધી બંધ રાખવાનું જણાવવામાં આવ્યું છે. મીડિયા રિપોર્ટ્સના અનુસાર કેન્દ્રીય સ્વાસ્થ્ય રાજ્યમંત્રી અશ્વિની ચૌબેએ મહામારીની આશંકાને ધ્યાનમાં રાખીને પ્રશાસનને એલર્ટ પર રહેવાની અને રાહત સામગ્રીની પૂરતી વ્યવસ્થા રાખવાની સલાહ આપી છે. આ સિવાય પટનામાં ડીએમ કુમાર રવિએ શાળા અને તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવાની જાહેરાત કરી છે.
#WATCH Bihar: BJP MP Ram Kripal Yadav falls into the water after the makeshift boat he was in, capsized in Masaurhi, Patna district, during his visit to the flood affected areas yesterday. He was later rescued by the locals. (02.10.2019) pic.twitter.com/iwI4OdNGiH
પૂર્વ કેન્દ્રીય મંત્રી અને બીજેપીના સાંસદ રામકૃપાલ યાદવ બુધવારે પોતાના સંસદીય ક્ષેત્ર પાટલિપુત્રમાં પૂર ગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે પહોંચ્યા હતા. આ સમયે ધનરુઆના રમણી બિગહામાં તેમની હોડી પલટી. ત્યારબાદ તેઓ ડૂબવા લાગ્યા. આસપાસના લોકોએ તેમને બચાવી લીધા. આ સમયે તેઓ થોડા ઈજાગ્રસ્ત પણ થયા હતા.
રાજેન્દ્રનગરથી પાણી હટાવવાની વ્યવસ્થા કરાશે
આપત્તિ વિભાગે બિહારના પ્રધાન સચિવ પ્રત્યય અમૃતને જણાવ્યું કે પૂરના કારણે 73 લોકોના મોત થયા છે. 9 લોકો ઘાયલ થયા છે. કોલ ઈન્ડિયાથી લાવેલા પંપમાં થોડી ટેકનિકલ મુશ્કેલીના કારણે પાણી ભરાયું હતું. હવે ગુરુવારે કામ શરૂ થશે તો અમે અહીંથી પાણી સાફ કરી દઈશું.