ચક્રવાતી તોફાન 'આસની' અંડમાન અને નિકોબાર દ્વીપ સમુહ પર પહોંચવાના અનુમાનની સાથે સાથે, પ્રશાસન દ્વિપસમૂહની સ્થિતિને પહોંચી વળવા જરૂરી વ્યવસ્થા કરી રહ્યું છે
ચક્રવાત આસની ત્રાટકવાની તૈયારી
નિચાણવાળા વિસ્તારો ખાલી કરાવ્યા
કેટલીય જગ્યાએ ભારે વરસાદની સંભાવના
ચક્રવાતી તોફાન 'આસની' અંડમાન અને નિકોબાર દ્વીપ સમુહ પર પહોંચવાના અનુમાનની સાથે સાથે, પ્રશાસન દ્વિપસમૂહની સ્થિતિને પહોંચી વળવા જરૂરી વ્યવસ્થા કરી રહ્યું છે, જેમાં નિચાણવાળા વિસ્તારના લોકોને કાઢીને સુરક્ષિત જગ્યાએ પહોંચાડી દેવામાં આવ્યા છે. ભારતીય હવામાન વિભાગે બંગાળની દક્ષિણ પૂર્વ ખાડી અને તેનાથી અડીને આવેલા દક્ષિણ અંડમાન સાગર પર આજે એક પ્રેશર અને હળવા પ્રેશર વાળા વિસ્તારને 21 માર્ચની આસપાસ ચક્રવાતી તોફાનમાં બદલવાની શક્યતા છે.
હેલ્પલાઈન નંબર જાહેર કર્યા
ત્યાર બાદ તેના ઉત્તર-ઉત્તર પૂર્વ તરફ વધવા અને 22 માર્ચે ઉત્તરી મ્યાંનમારના દક્ષિણ પૂર્વી બાંગ્લાદેશના તટીય સુધી પહોંચવાની સંભાવના છે. આઈએમડીએ શનિવારે પોતાના બુલેટિનમાં અંડમાન અને નિકોબાર દ્વિપ સમૂહમાં અમુક જગ્યાએ ભારે વરસાદની ભવિષ્યવાણી કરી છે, સાથે જ નિકોબાર દ્વિપ સમૂહમાં વધારે ભારે વરસાદની શક્યતા વર્તાવી છે. અંડમાન અને નિકોબાર દ્વિપ સમૂહ પ્રશાસને ફોરશોર સેક્ટરમાં જહાજોને નિર્ધારિત નોકાયાન રદ કર્યું છે અને યાત્રિઓ માટે હેલ્પલાઈન નંબર 03192-245555/232714 અને ટોલ ફ્રી નંબર – 1-800-345-2714 જાહેર કર્યો છે.
કેટલીય જગ્યાએ ભારે વરસાદની ચેતવણી
તેમણે ઈમરજન્સી મેનેજમેન્ટ વિભાગના લોકોને આ સંબંધમાં સતર્ક રહેવા અને લોકોમાં જાગૃતિ ફેલાવાનું કહ્યું છે. હવામાન વિભાગે 20 માર્ચના રોજ મોટા ભાગની જગ્યા પર હળવાથી મધ્યમ વરસાદ અને ગરજ સાથે છૂટાછવાયો વરસાદ પડવાની પણ ચેતવણી આપી છે. વિભાગે અમુક સ્થાન પર ભારેથી અતિ ભારે વરસાદ અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં અલગ અલગ સ્થાન પર વધારે વરસાદની શક્યતા વર્તાવી છે. વિભાગે તમામ માછીમારોને અંડમાન સાગર અને તેનાથી અડીને આવેલા પૂર્વ બંગાળની ખાડીમાં ન જવાની સલાહ આપી છે.