બંગાળની ખાડીમાં ચક્રાવાતી તોફાનને ધ્યાનમાં રાખીને ઓરિસ્સાની સરકારે તટીય વિસ્તારોમાં હાઈ એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગે કહ્યું છે કે 'યાસ' તબાહી મચાવી શકે છે.
ઓરિસ્સા- પ. બંગાળમાં ચક્રાવાતી તોફાનનું એલર્ટ
આંધ્રપ્રદેશ -તમિલનાડુમાં હવામાન વિભાગનું એલર્ટ
26મેના રોજ તટીય વિસ્તારો સાથે અથડાય તેવી આશંકા
ચક્રાવાતી તોફાન તૌક્તે બાદ હવે દેશના પૂર્વ તટીય વિસ્તારોમાં ચક્રાવાત 'યાસ'નો ખતરો જોવા મળી રહ્યો છે. બંગાળની ખાડીમાં બની રહેલા ચક્રાવાતી તોફાન 'યાસ' ઓરિસ્સા અને પ. બંગાળના તટીય વિસ્તારોમાં તબાહી મચાવી શકે છે. હવામાન વિભાગના અનુસાર બંગાળની ખાડીમાં લો પ્રેશર વિસ્તાર બની રહ્યો છે. આ અઠવાડિયાની શરૂઆતમાં દેશના પશ્ચિમી તટ પર આવેલા ભીષણ ચક્રાવાત તૌક્તે બાદ ભારતીય નૌસેનાએ મોટા પાયે રાહત અને બચાવ અભિયાન ચલાવ્યું હતું. ચક્રાવાતના કારણે મહારાષ્ટ્ર, ગુજરાત, કેરળ, કર્ણાટક અને ગોવામાં ભારે નુકસાન થયું છે. હવામાન વિભાગે શનિવારે કહ્યું કે 'યાસ' પણ ગંભીર ચક્રાવાતમાં ફેરવાઈ શકે છે અને 26મેના રોજ ઓરિસ્સા અને પ. બંગાળના તટને પાર કરવાની આશંકા છે.
The National Crisis Management Committee (NCMC) under the chairmanship of Cabinet Secretary, Rajiv Gauba met today to review the preparedness of Central and State Ministries/Agencies to deal with Cyclonic Storm Yaas in the Bay of Bengal.
પ. બંગાળ, ઉત્તરી ઓરિસ્સા અને બાંગ્લાદેશના તટ પર ખતરો
ક્ષેત્રીય હવામાન વિજ્ઞાન કેન્દ્રના નિર્દેશકે કહ્યું કે 26મેની સાંજે આ ચક્રાવાત પ. બંગાળ, ઓરિસ્સા અને પડોશી દેશ સાથે અથડાય તેવી સંભાવના છે. તેઓએ કહ્યું કે પ.બંગાળ, ઉત્તરી ઓરિસ્સા અને બાંગ્લાદેશના તટ પર 26મેની સવારથી હવાની ગતિ 90-110 કિમી/કલાકની રહેશે. સાંજ સુધી તેમાં વધારો થઈ શકે છે.
Low pressure area has formed over eastcentral BoB today morning. To intensify into a CS by 24th May. To intensify further into Very Severe Cyclonic Storm, move north-northwestwards and cross West Bengal and adjoining north Odisha & Bangladesh coasts around 26th evening. pic.twitter.com/DakiLqpw0f
— India Meteorological Department (@Indiametdept) May 22, 2021
લો પ્રેશર એરિયા બનવાના કારણે ખતરો વધ્યો
શનિવારે પૂર્વ મધ્ય બંગાળની ખાડી અને તેની પાસે આવેલા ઉત્તરી અંડમાન સાગરની ઉપર એક નિમ્ન દબાણનું ક્ષેત્ર બન્યું. એક ઓછા દબાણનું ક્ષેત્ર ચક્રાવાતનું પહેલું ચરણ હોય છે. આ જરૂરી નથી કે દરેક નિમ્ન દબાણના ક્ષેત્ર ચક્રાવાતી તોફાનમાં ફેરવાય.
આવતીકાલ સુધીમાં ચક્રાવાતમાં ફેરવાઈ શકે છે
આઈએમડીએ કહ્યું કે એક ઓછા દબાણનું ક્ષેત્ર આજે બંગાળની ખાડીના પૂર્વ મધ્ય ક્ષેત્ર પર વિક્ષોભમાં કેન્દ્રિત થવાની આશંકા છે. તેના ઉત્તર પશ્ચિમની તરફ વધવાની શક્યતા છે જે 24 મે સુધી ચક્રાવાત તોફાનમાં ફેરવાઈ શકે છે અને 24 કલાકમાં ગંભીર ચક્રાવાતી તોફાનનું રૂપ લઈ શકે છે.
Significant Weather Features dated 22-05-2021 are:
♦ Southwest Monsoon has further advanced into some more parts of Southwest Bay of Bengal; most parts of Southeast Bay of Bengal; some parts of Eastcentral Bay of Bengal and entire Andaman Sea and Andaman & Nicobar Islands today,
— India Meteorological Department (@Indiametdept) May 22, 2021
માછીમારોને આપવામાં આવી છે ચેતવણી
માછીમારોને માટે ચેતવણી જાહેર કરાઈ છે. તેમાં બંગાળની ખાડીના દક્ષિણ પૂર્વી અને પૂર્વી મધ્ય, અંડમાન સાગર અને અંડમાન નિકોબાર દ્વીપ સમૂહની તરફથી 22-24 મેની વચ્ચે ન જવાની સલાહ આપવામાં આવી છે. આ સિવાય 23-25 મે સુધી બંગાળની ખાડીની મધ્યમાં અને 24-26મેની વચ્ચે પ.બંગાળ સહિત ઓરિસ્સા અને બાંગ્લાદેશના તટીય વિસ્તારોમાં જવાની મનાઈ કરાઈ છે. સાથે માછીમારે જે સમુદ્રમાં વચ્ચે છે તેમને કિનારે પરત ફરવાની સૂચના આપી દેવામાં આવી છે.