બે અધિકારીઓને બરખાસ્ત, બેને પાણીચુ, નવ કર્મીઓ સામે પોલીસ ફરિયાદ
ઈન્દોર મ્યુનિસિપલ કોર્પોરેશનના બે અધિકારીઓ, બે સુપરવાઈઝર અને નવ કર્મચારીઓએ ડંપરમાંથી ઉચકીને ગણેશની મૂર્તિઓ તળાવમાં ફેંકી દીધી હતી. મનપાના અધિકારીઓના આ બેહુદા વિસર્જનનો વીડિયો વાયરલ થયા બાદ તેમની પર તવાઈ આવી છે.
બે અધિકારીઓને બરખાસ્ત, બેને પાણીચુ, નવ કર્મીઓ સામે પોલીસ ફરિયાદ
આ ઘટના સામે આવ્યાં બાદ ઈન્દોર મ્યુનિસિપાલ કોર્પોરેશને (IMC) તાત્કાલિક ધોરણે બે અધિકારીઓને બરખાસ્ત કરીને બે સુપરવાઈઝરને પાણીચુ પકડાવી દીધું છે તથા નવા કર્મચારીઓની સામે પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે.
MP | Service of 9 employees terminated, 2 suspended after a video went viral in which they were seen throwing idols of lord Ganesha from dumpers into a water body: Pratibha Pal, Municipal Commissioner, Indore City pic.twitter.com/jm0G5ovGud
મનપાના અધિકારીઓ ડંપરમાંથી તળાવમાં ગણેશની મૂર્તિઓ ફેંકતા નજર ચડ્યા હતા
આ ઘટનાનો એક વીડિયો પણ વાયરલ થયો હતો જેમાં મનપાના અધિકારીઓ ડંપરમાંથી તળાવમાં ગણેશની મૂર્તિઓ ફેંકતા નજર ચડ્યા હતા. આ ઘટનાની ગંભીર નોંધ લેતા મધ્યપ્રદેશના શહેરી વિકાસ મંત્રી ભુપેન્દ્ર સિંહે મનપા કમિશનરને આ કામ કરનાર કર્મચારીઓ તથા અધિકારીાઓની સામે કડક પગલાં ભરવાનો આદેશ આપ્યો હતો.
મનપા કમિશનર પ્રતિભા પાલે જણાવ્યું કે ગણેશની મૂર્તિઓને એન્વાર્યમેન્ટ ફ્રેન્ડલી ધોરણે વિસર્જિત કરવાની હોય છે. તેમ છતાં પણ તો મૂર્તિઓ પાણીમાં તરતી દેખાય તો તેને સંપૂર્ણ વિધિઓ સાથે પાણીમાં વિસર્જિત કરવાની હોય છે પરંતુ અધિકારીઓ ખોટી રીતે ગણેશની મૂર્તિઓને પાણીમાં પધરાવી હતી તેથી તેમની સામે કાર્યવાહી કરાઈ છે.
શું છે ઘટના
47 ડંમ્પર્સમાં ઠાંસીઠાંસીને ભરીને ગણેશની મૂર્તિઓને જવાહર ટેકરી વિસ્તારના તળાવમાં વિસર્જિત કરવા માટે લવાઈ હતી. પરંતુ યોગ્ય વિધિ કે સન્માન વગર જ અધિકારીઓએ અત્યંદ બેહૂદી રીતે ગણેશની મૂર્તિઓ વિસર્જિત કરી દીધી હતી. અધિકારીઓ ડંમ્પરમાંથી ઉચકીને મૂર્તિઓ પાણીમાં ફેકવા લાગ્યા હતા. આ ઘટનાનો એક વીડિયો વાયરલ થયો હતો. જે પછી લોકોની લાગણીને ઠેસ પહોંચી હતી.