જ્યોતિરાદિત્ય સિંધયાને ઈમરતી દેવી અભિનંદન પાઠવવા પહોચ્યા હતા. જ્યા તેઓ ભાવુક થયા જેથી સિંધિયા પણ ભાવુક થઈને તેમને ભેટી પડ્યા હતા.
જ્યોતિરાદિત્ય સિંધિયાને મળવા પહોચ્યા ઈમરતી દેવી
ઈમરતી દેવી ભાવુક થતા તેમની આખમાં આવ્યા આસું
સિંધિયા પણ ભાવુક થતા ઈમરતી દેવીને ભેટી પડ્યા
જ્યોરાદિત્ય સિંધિયા કેન્દ્રીય મંત્રી બન્યા ત્યારથી તેમનું સન્માન પણ પહેલા કરતા વધી ગયું છે. પૂર્વ મંત્રી ઈમરતી દેવી પણ તેમને શુભકામનાઓ પાઠવવા દિલ્હી પહોચ્યા. જ્યા તેમની આખમાં હરખના આસું આવી ગયા હતા. આ દ્રશ્યો જોઈને સિંધિયા પણ ભાવુક થઈ ગયા અને તેઓ ઈમરતી દેવીને ભેટી પડ્યા હતા.
મધ્યપ્રદેશમાં સિંધિયાનું કદ વધ્યું
મોદી સરકારમાં કેન્દ્રીય મંત્રી બન્યા બાદ જ્યોતિરાદિત્ય સિંધિયાનું ગ્વાલિયર, ચંબલ, અંચલ માંજ નહી પરંતુ સમગ્ર મધ્યપ્રદેશમાં કદ વધ્યું છે. જેની પાછળ ઘણા બધા ધારાસભ્યોએ યોગદાન આપ્યું છે. કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાતી વખતે આ બધાજ ધારાસભ્યોએ પોતાનું પદ દાવ પર લગાવી દીધું હતું. જેમા એક નામ ઈમરતી દેવીનું હતું, સૌથી પહેલા તેમણે રાજીનામું આપ્યું હતું,
સિંધિયાને મળ્યું નાગરિક ઉડ્ડયન મંત્રાલય
ગત બુધવારે જ્યોતિરાદિત્ય સિંધયાએ મોદી સરકારના કેન્દ્રીય મંત્રી પદ પર શપથ લીધી હતી. તેમને નાગરિક ઉડ્ડયન મંત્રાલય આપવામાં આવ્યું છે. જેથી ઈમરતી દેવી તેમને મળવા દિલ્હી પહોચ્યા હતા. જ્યા તેઓ ઘણા ઈમોશનલ થઈ ગયા હતા.
સિંધિયા અને ઈમરતી દેવી બંન્ને થયા ભાવુક
ઈમરતી દેવીએ સિંધિયાને એવું કહ્યું હતું કે મહારાજા મંત્રી બન્યા તે બદલ અભિનંદન ત્યારે સિંધિયા પણ હસી પડ્યા હતા. પરંતુ તે સમયે ઈમરતી દેવી ભાવુક થઈ ગયા અને તેમની આંખોમાં આસુ આવી ગયા હતા. આ દ્રશ્યો જોઈને સિંધિયા પણ ભાવુક થઈ ગયા હતા અને તેઓ ઈમરતી દેવીને ભેટી પડ્યા હતા.
કેન્દ્રીય મંત્રી બનવા સિંધિયા હકદાર હતા
ઉલ્લેખનીય છે કે પૂર્વ મંત્રી ઈમરતી દેવી હાલ દિલ્હીમાં છે. તેઓ સિંધિયાને અભિનંદન પાઠવવા દિલ્હી પહોચ્યા હતા. તેમનું માનવું છે કે સિંધિયા કેન્દ્રીય મંત્રી બનવાના હકદાર હતા. વધુંમા તેમણે એવી માહિતી પણ આપી છે કે સિંધિયા ગ્વાલિયર પણ જવાના છે.