આસામના હોજઈ જિલ્લાની એક હોસ્પિટલમાં એક કોરોના દર્દીના મોત બાદ પરિવારજનોએ સમગ્ર મેડિકલ જગત રોષે ભરાય તેવી હરકત કરી હતી
આસામમાં ડૉક્ટર પર દર્દીના પરિવારજનોએ કર્યો હુમલો
હોસ્પિટલોને સૌથી સુરક્ષિત ક્ષેત્ર જાહેર કરવાની પણ માંગ
થોડા સમય પહેલા IMA એ બાબા રામદેવના નિવેદનના સંદર્ભમાં પત્ર લખ્યો હતો
આસામમાં ડૉક્ટર પર દર્દીના પરિવારજનોએ કર્યો હુમલો
ઇંડિયન મેડિકલ એસોસિએશને કેન્દ્રીયમંત્રી અમિત શાહને પત્ર લખીને માંગણી કરી હતી કે દેશમાં સ્વાસ્થ્યકર્મીઓ પર હુમલા કરનાર વિરુદ્ધ કડક કાયદા બનાવવામાં આવે. આસામના હોજઈ જિલ્લાની એક હોસ્પિટલમાં એક કોરોના દર્દીના મોત બાદ પરિવારજનોએ સમગ્ર મેડિકલ જગત રોષે ભરાય તેવી હરકત કરી હતી. પરિવારજનોએ ભેગા મળી ડોકટરને ઢોર માર મારવામાં આવ્યો હતો. IMA લખ્યું કે છેલ્લા ઘણા વર્ષોમાં આવા બનાવો વધતાં જઈ રહ્યા છે.
હોસ્પિટલોને સૌથી સુરક્ષિત ક્ષેત્ર જાહેર કરવાની પણ માંગ
આસામના હોજઈ જિલ્લાની એક હોસ્પિટલમાં એક કોરોના દર્દીના મોત બાદ પરિવારજનોએ એક ડોકટરને માર માર્યો. જેના પગલે IMA એ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખ્યો હતો. તેમણે લખ્યું કે ડૉક્ટર સેજ કુમાર પર થયેલા હુમલાની યોગ્ય તપાસ કરવામાં આવે. વધુમાં આ પત્ર લખવામાં આવ્યું છે કે આ ઘટના પર વધુ જલ્દી કાર્યવાહી કરવામાં આવે અને દેશના સ્વાસ્થ્ય કર્મીઓ પર થતાં હુમલા વિરુદ્ધ વધુ કડક કાયદાઓ બનાવવામાં આવે. કારણકે દેશમાં બની રહેલ આવી ઘટનાઓ એ હિંસક પ્રવૃત્તિ છે. છેલ્લા ઘણા વર્ષોથી આવા હુમલા સતત વધી રહ્યા છે. કોરોના મહામારીમાં બધા જ સ્વાસ્થ્ય કર્મીઓ ઊભા પગે દર્દીઓની સેવા કરી રહ્યા છે અને સ્વાસ્થ્યને લઈ આવતી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. વધુમાં આગળ લખ્યું છે કે જો દેશના સ્વાસ્થ્યકર્મીઓ પર આ રીતે હુમલા થતાં રહેશે તો તેઓ કામ કઈ રીતે કરશે? સ્વાસ્થ્યકર્મીઓ પર હુમલા એ સમગ્ર દેશ માટે ખતરનાક ઘટના ગણી શકાય. ભારતમાં આવા હુમલા વિરુધ્ધ સખત કાયદાઓ બનાવવા જ પડશે. સાથે જ તેમણે માંગણી કરી છે કે હોસ્પિટલોને એક સુરક્ષિત સ્થળ તરીકે લેવામાં આવે. આ ઘટના બાદ ડૉક્ટરને માર મારનાર તમામ લોકો વિરુદ્ધ ગુનો દાખલ કરી પકડી લેવામાંઆવ્યા છે.
So far, following culprits have been identified -
1) Md.Kamaruddin
2) Md. Jainal uddin
3) Rehanuddin
4) Saidul Alam
5) Rahim uddin
6) Rajul Islam
7) Tayebur Rahman
8) Sahil Islam
— Himanta Biswa Sarma (@himantabiswa) June 2, 2021
હજી થોડા સમય પહેલા IMA એ બાબા રામદેવના નિવેદનના સંદર્ભમાં પત્ર લખ્યો હતો
અમદાવાદના નવરંગપુરા પોલીસ મથકમાં બાબા રામદેવ વિરુદ્ધ અરજી કરવામાં આવી છે. અમદાવાદ મેડિકલ એસો. અને ગુજરાત મેડિકલ એસો. દ્વારા બાબા રામદેવ વિરુદ્ધ અરજી અપાઈ છે. ગુજરાતમાં બાબા રામદેવના નિવેદનને લઈ ડૉક્ટરોમાં રોષ જોવા મળી રહ્યો છે. થોડા દિવસ અગાઉ એલોપેથી પર આપેલા બાબા રામદેવના નિવેદનને લઈ સમગ્ર દેશના એલોપેથી ડૉક્ટરોએ વિરોધ નોંધાવ્યો છે. ત્યારે અમદાવાદમાં બાબા રામદેવ વિરુદ્ધ આ પહેલી અરજી હોઈ શકે છે.