રાજ્યમાં કોરોના સંક્રમણ ચિંતા વધારી રહ્યું છે, દરરોજ હજ્જારોની સંખ્યામાં RT-PCR ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. ત્યારે અમદાવાદના ડોક્ટર દ્વારા નાગરિકોને મહત્વની અપીલ કરવામાં આવી હતી.
IMA ગુજરાત સ્ટેટ કોર્ડીનેટર ડો.મુકેશની અપીલ
પોઝિટિવ થયાના થોડા દિવસો પછી લોકો ફરી કરાવે છે RTPCR-ડો.મુકેશ
પોઝિટિવ આવ્યા બાદ ફરી ન કરાવો જોઇએ RTPCR ટેસ્ટ
IMA ગુજરાત સ્ટેટ કોર્ડીનેટર ડોક્ટર મુકેશે ગુજરાતના લોકોને મહત્વની અપીલ કરી છે. VTV સાથેની વાતચીતમાં ડોક્ટર મુકેશ મહેશ્વરીએ જણાવ્યું હતું કે, એકવાર પોઝિટિવ આવ્યા બાદ ફરી ટેસ્ટ ન કરાવવો જોઇએ.
લેબ પર વધી જાય છે ભારણ
આ સાથે જ તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કોરોના સંક્રમિત થયાંના થોડા દિવસો પછી લોકો ફરી RT-PCR કરાવે છે. ફરી તરત જ RT-PCR તેના લીધે લેબ પર ભારણ વધી રહ્યાં છે.
ડિસ્ચાર્જ લીધા પછી ફરી RTPCR ન કરાવવા અપીલ
પોઝિટિવ આવ્યા બાદ ફરી રિપોર્ટ ન કરાવે તો અન્યના રિપોર્ટમાં વિલંબ ન થાય. આ અંગે ICMRની પણ સ્પષ્ટ ગાઈડલાઇન છે. કોરોના પછી ડિસ્ચાર્જ લીધા પછી ફરી RTPCR ન કરાવવા અપીલ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, મંગળવારે રાજ્યમાં 131 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે. આમ ગુજરાતમાં અત્યાર સુધીમાં 7779 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. ગઇકાલ કરતા આજે કોરોનાના કેસમાં ચિંતાજનક ઉછાળો નોંધાયો છે, જો કે, આજે ગુજરાતમાં 12,121 દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં 4,64,396 દર્દીઓ કોરોના મુક્ત થયાં છે. આમ આજે કેસ વધ્યા છે પરંતુ સાજા થનારનો આંકડો રાહત આપનારો છે. રાજ્યમાં હાલ 778 લોકો વેન્ટિલેટર પર છે. એક્ટિવ કેસનો આંકડો 1,48,297 પર પહોંચ્યો છે.
સુરત અને અમદાવાદમાં કોરોના બેકાબૂ
ગુજરાતમાં રસીકરણની કામગીરી ચાલુ હોવા છતાં બીજી તરફ પરિસ્થિતિ બેફામ છે. કોરોનાના કેસમાં સતત વધારો થતા ચિંતા વધી છે. અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધુ 4693 કેસ તો અમદાવાદ ગ્રામ્યમાં 61 કેસ નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 1214 નવા કેસ, જ્યારે સુરત ગ્રામ્યમાં 360 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 563 કેસ, જ્યારે ગ્રામ્યમાં 380 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 593 કેસ અને ગ્રામ્યમાં 133 કેસ નોંધાયા છે.