આઇ મૉનિટરી એડવાઇઝર (IMA) પોંજી કૌંભાડના મામલે IMA ના સંસ્થાપક મંસૂર ખાનને શુક્રવારે સવારે દિલ્હી એરપોર્ટથી ED એ ધરપકડ કરી છે.
IMA પોંઝી કૌંભાડના પ્રમુખ મંસૂર ખાન દિલ્હી લાવવામાં આવ્યો છે. ઇડી એને કસ્ટડીમાં લઇને પૂછપરછ કરી રહી છે. પોંઝી સ્કીમ એક પ્રકારની છેતરપિંડી છે, જેમાં રોકાણકારોને આકર્ષવા માટે નવા રોકાણકારો પાસેથી લેવામાં આવેલા પૈસા જૂના રોકાણકારોને લાભ તરીકે આપવામાં આવે છે. મંસૂર ખાન પર ઇસ્લામિક બેંકના નામ પર હજારો લોકો સાથે છેતરપિંડી કરવાનો આરોપ છે.
આ વચ્ચે માહિતી મળી છે કે મંસૂર ખાનને પૂછપરછ માટે બેંગ્લોરથી પણ એક અધિકારીઓની ટીમ પૂછપરછ માટે લાવવામાં આવી રહ્યો છે. આ પહેલા મંસૂર ખાને એક વીડિયો જારી ભારત પરત ફરવાની વાત કહી હતી. મંસૂર ખાને કહ્યું હતું કે આગળના 24 કલાકમાં ભારત પરત ફરશે, મને ભારતની કોર્ટ પર પૂરો ભરોસો છો. એને કહ્યું હતું કે ભારત છોડવું એની સૌથી મોટી ભૂલ હતી, પરંતુ પરિસ્થિતિ એવી બની ગઇ હતી કે દેશ છોડીને જવું પડ્યું. મંસૂરે કહ્યું હતું , હું એ પણ નથી જાણતો કે મારો પરિવાર ક્યાં છે? એને દેશ પરત આવ્યા બાદ સૌથી પહેલા બેંગ્લોરમાં પોતાના પરિવારને મળવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.
IMA ponzi scam case: IMA Founder Mansoor Khan arrested by Enforcement Directorate (ED) at Delhi Airport, early morning today. He is being taken to ED's office at the MTNL building in Delhi for further questioning. pic.twitter.com/83lThaRWCG
શું છે સમગ્ર મામલો
મંસૂર ખાન પર આશરે 30 હજાર મુસલમાનો સાથે છેતરપિંડી કરવાનો આરોપ છે. મંસૂર ખાન પર આરોપ છે કે એ 1500 કરોડ રૂપિયાની છેતરપિંડી કરીને દુબઇ ભાગી ગયો હતો. IMA એ પોતાની સ્કીમમાં 14 થી 18 ટકા ભારે રિટર્નની લાલચ આપીને હજારો રોકાણકારોને દગો આપ્યો હતો ત્યારબાદ આશરે 25 હજાર લોકોએ છેતરપિંડીની ફરિયાદ દાખલ કરાવી હતી. પોલીસે આઇએમએ જયનગરની ઓફિસમાં અને મંસૂર ખાનના ઘરમાં દરોડા પાડ્યા હતા. જેમાં કરોડો રૂપિયાની જ્વેલરી અને દસ્તાવેજ જપ્ત કર્યા હતા.
નોંધનીય છે કે છેતરપિંડીના આ મામલે ED એ મંસૂર ખાનની વિરુદ્ધ જૂનમાં ત્રીજું સમન જારી કર્યું હતું. એ હેઠળ મંસૂર ખાનને 3 જુલાઇએ ED ની સામે હાજર રહેવાનું કહેવામાં આવ્યું હતું.