ભારતમાં સતત વધી રહેલા તાવ અને શરદીના કેસને જોતાં IMA દ્વારા એડવાઇઝરી આપવામાં આવી છે.
તાવ અને શરદીની સાથે સાથે ઝાડા ઊલટીના વધી રહ્યા છે કેસ
દર્દીઓને એન્ટિબાયોટિક ન આપવાની સલાહ
IMAએ તમામ ડોક્ટર્સ માટે જાહેર કરી એડવાઇઝરી
IMA એ જાહેર કરેલ એડવાઇઝરીમાં જણાવવામાં આવ્યું છે કે હાલમાં દેશમાં કફ, તાવ,ઊલટી, ખરાબ ગળું, શરીરમાં દુખાવો અને ઝાડા જેવા કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. આ પ્રકારનું ઈન્ફેક્શન પાંચથી સાત દિવસ સુધી રહે છે અને ત્રણ દિવસમાં તાવ જતો રહે છે. આ મોટા ભાગના કેસ H3N2 વાયરસના છે. IMAએ કહ્યું કે 15થી 50 વર્ષના લોકોમાં આ સામાન્ય બીમારી છે, જે ઓકટોબરથી ફેબ્રુઆરી મહિનામાં થાય છે.
Indian Medical Association (IMA) in a notice posted on social media advised people & medical practitioners to avoid prescription of antibiotics to the increasing patients of with seasonal fever, cold & cough. pic.twitter.com/fMbKa9eSDQ
એન્ટીબાયોટિકની જરૂર જ નથી
IMAએ ડોક્ટર્સને સલાહ આપી છે કે સારવાર માટે એન્ટિબાયોટિક આપવી નહીં. લોકો કોઈ ડોઝ કે સમયનું ધ્યાન રાખ્યા વિના Azithromycin અને Amoxiclav લેવા લાગે છે. જેના કારણે સમસ્યા ઊભી થઈ શકે છે. ઝાડા ઊલટીના 70 ટકા કેસમાં એન્ટીબાયોટિકની કોઈ જરૂર નથી, ડૉક્ટર્સે આપેલી દવાઓથી સારવાર થઈ શકે છે. IMAએ ટકોરમાં એમ પણ કહ્યું કે કોરોના વાયરસ ફેલાયો તે સમયે પણ આપણે એન્ટિબાયોટિકનો વધતો વ્યાપ જોઈ ચૂક્યા છે.
ICMR પણ સતત રાખી રહ્યું છે નજર
ખૂબ વધારે તાવ અને લાંબા સમય સુધી ખાંસીથી પરેશાન છો તો સતર્ક થઈ જાઓ. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે પુષ્ટિ કરી છે કે દેશમાં ઝડપથી વધી રહેલા તાવ અને ખાંસીના પ્રકોપ ઈન્ફ્લુએન્ઝા Aના H3N2 વાયરસના કારણે છે. આઈસીએમઆર અનુસાર, H3N2 અન્ય વાયરસની તુલનામાં વધારે પ્રભાવી છે. તેનાથી પીડિત લોકો ઝડપથી હોસ્પિટલમાં દાખલ થઈ રહ્યા છે. ICMR દેશભરમાં પોતાના વાયરસ રિસર્ચ એન્ડ ડાયગ્નોસ્ટિક લેબોરેટરીઝના નેટવર્ક દ્વારા વાયરસથી થતી બિમારીઓ પર સતત નજર રાખે છે.
શું છે લક્ષણ?
ICMRના અનુસાર, હોસ્પિટલમાં દાખલ H3N2 વાળા દર્દીઓમાં 92 ટકા દર્દીઓ તાવ, 86 ટકા ખાંસી, 27 ટકા શ્વાસ ફૂલવા, 16 ટકાને ઘભરામણની સમસ્યા હતા. તેનાથી વધારે ICMRની દેખરેખમાં જાણવા મળ્યું કે કઈ રીતે 16 ટકા રોગીઓને નિમોનિયા હતો અને 6 ટકાને દોરા પડ્યા હતા. આઈસીએમઆરના અનુસાર, "H3N2 વાયરસથી પીડિત ગંભીર દર્દીઓમાં લગભગ 10 ટકા રોગીઓને ઓક્સીઝનની જરૂર હતી અને 7 ટકાને ICU દેખરેખની જરૂર હતી."