ઈન્ડીયન મેડિકલ એસોસિએશને બાબા રામદેવને દેશદ્રોહી ગણાવીને જણાવ્યું કે તેમને વેક્સિનેશન પ્રોગ્રામ પર લોકોમાં ભ્રમની સ્થિતિ પેદા કરી.
IMA અને બાબા રામદેવ વચ્ચેનો જંગ ઉગ્ર બન્યો
IMA એ બાબા રામદેવને દેશદ્રોહી ગણાવ્યાં
રામદેવે વેક્સિનેશન પ્રોગ્રામ પર લોકોમાં ભ્રમ પેદા કર્યો- IMA
ઈન્ડીયન મેડિકલ એસોસિએશન (IMA) મંગળવારે એક નિવેદન જારી કરીને બાબા રામદેવની સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી. તેમણે કહ્યું કે વેક્સિનેશન પ્રોગ્રામ અંગે બાબા રામદેવ લોકોમાં ભ્રમ ફેલાવ્યો. આવા લોકો દેશદ્રોહી હોય છે.
Mr. Ramdev thought it fit to launch his tirade against National COVID-19 treatment. People creating confusion regarding the National Treatment Protocols and National Vaccination Programme are traitors and anti-nationals. They deserve no mercy: Indian Medical Association pic.twitter.com/dmN6A7ZEYx
IMA એ જણાવ્યું કે રામદેવને નેશનલ કોવિડ-19 ટ્રીટમેન્ટટની સામે પોતાનું અભિયાન શરુ કરવાનું યોગ્ય લાગ્યું. દેશમાં ઉપચારના પ્રોટોકોલ અને રાષ્ટ્રીય વેક્સિનેશન કાર્યક્રમ પર ભ્રમ પેદા કરનાર લોકો દેશદ્રોહી હોય છે. તેઓ જરા પણ દયાને પાત્ર નથી. તેમની સામે કડક કાર્યવાહી થવી જોઈએ. એલોપેથી અને ડોક્ટરો સામે કરેલા વિવાદિત નિવેદન બાદ આજે દેશ અને રાજ્યમાં ડોક્ટરોનું વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યું છે, અને બાબાની ધરપકડની માંગ ઉઠી છે ડોદરામાં રામદેવ સામે ડોક્ટરોએ વિરોધ કર્યો હતો અને PPE કીટ પર રામદેવની ધરપકડ કરવાની માંગ સાથેનું લખાણ લખી આજે 1લી જૂનને કાળા દિવસ તરીકે જાહેર કર્યો.
બાબા રામદેવનું વિવાદિત નિવેદન
મહત્વનું છે કે રાવદેવે કોરોના વાયરસ સંક્રમણની સારવારમાં ઉપયોગમાં લેવાતી કેટલીક દવાઓ પર સવાલ ઉઠાવ્યા હતા અને તેમણે કોવિડ-19ની સારવારમાં એલોપથી દવાઓ લેવાથી લોકો મરી રહ્યા છે તેવા નિવેદન બાદ લોકોમાં વિરોધનો વંટોળ ઉઠ્યો છે. એટલું જ નહીં બાબા રામદેવે ડોક્ટોરો સામે પણ વિવાદિત ટિપ્પણી કરી હતી તેમણે કહ્યું હતું કે ''ડોક્ટર બનવા માટે ડીગ્રીની જરૂર નથી, ડોક્ટર બનવું હોય તો મારા જેવા ડોક્ટર બનો'' એવા નિવેદન બાદ ડોક્ટરોમાં પણ રોષ જોવા મળ્યો હતો.
ઈન્ડિયન મેડિકલ એસોસિએશનો વિરોધ
સૌપ્રથમ ઈન્ડિયન મેડિકલ એસોસિએશને રામદેવના નિવેદનનો સખત વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે બાબા રામદેવે કોરોનાની સ્થિતિનો લાભ લઈને એલોપેથી વિજ્ઞાન સાથે જોડાયેલા ડોક્ટર્સ અંગે કુપ્રચાર કરવાનો પ્રયાસ કર્યો છે. IMA દ્રારા બાબા રામદેવ ખુલ્લેઆમ અફવા ફેલાવી રહ્યા હોવાનો પણ દાવો કરવામાં આવ્યો. આ ઉપરાંત બાબાએ દિવંગત ડૉક્ટર્સ અંગે કરેલી અભદ્ર ટિપ્પણી અંગે પણ વિરોધ નોંધાવવામાં આવ્યો.
સમગ્ર દેશમાં બાબા રામદેવ સામે વિરોધ
સમગ્ર દેશ સહિત ગુજરાતમાં બાબા રામદેવ સામે એલોપેથી ડૉક્ટરોએ વિરોધ નોંધાવી રહ્યા છે ત્યારે ગઈ કાલે અમદાવાદના નવરંગપુરા પોલીસ મથકમાં બાબા રામદેવ વિરુદ્ધ અરજી કરવામાં આવી હતી. અમદાવાદ મેડિકલ એસો. અને ગુજરાત મેડિકલ એસો. દ્વારા બાબા રામદેવ વિરુદ્ધ અરજી અપાઈ હતી અને બાબા રામદેવ બિનશરતી માફી માગે તેવી માંગ કરાઈ છે.