કોરોનાની મહામારીને કારણે દુનિયાભરમાં અર્થવ્યવસ્થા પર અસર પડી છે. કોરોનાએ ન ફક્ત લોકોના જીવ લીધો છે. પણ જે લોકો કોરોનાથી બચી ગયા તે તેની અસર હેઠળ આવેલી બેરોજગારીના કહેરથી નથી બચ્યા. કોરોનાથી મરનારની સંખ્યા 981,962 અને બેરોજગારની સંખ્યા 50 કરોડ છે.
ભારતમાં લોકડાઉનના કારણે કરોડો લોકો બેરોજગાર થયા
UNની ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશને રિપોર્ટ જારી કર્યો
દુનિયાભરમાં કોરોનાને કારણે 50 કરોડ લોકો બેરોજગાર: ILO
ILOના અનુમાન કરતા પણ વાસ્તવિક આંકડો મોટો હોવાની આશંકા
કોરોનાને કારણે વિશ્વના તમામ દેશોની અર્થવ્યવસ્થાને ફટકો પડ્યો છે. જેમાં અમેરિકા પણ બાકાત નથી. ત્યારે કોરોનાએ જેટલાનો જીવ નથી લીધો તેથી વધારે લોકો બેરોજગાર થયા છે.
કોરોનાને કારણે રોજગારીની તકોમાં થયો ઘટાડો થયો છે. ભારતમાં લોકડાઉનના કારણે કરોડો લોકો બેરોજગાર થયા છે. UNની ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશને રિપોર્ટ જારી કર્યો છે. જેના આંકડા ચોંકાવનારા છે. રિપોર્ટ મુજબ દુનિયાભરમાં કોરોનાને કારણે 50 કરોડ લોકો બેરોજગાર થયા છે. કામના કલાકોમાં થયેલી ઘટાડાના આધારે ILOએ અનુમાન લગાવ્યું છે. ILOના અનુમાન કરતા પણ વાસ્તવિક આંકડો મોટો હોવાની આશંકા વ્યક્ત થઈ રહી છે.
ઉલ્લેખનીય છે કે વિશ્વમાં કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. વિશ્વમાં કુલ 3 કરોડ 20 લાખ લોકો કોરોનાથી સંક્રમિત છે. કોરોના બાદ કુલ 2 કરોડ 36 લાખ લોકો સાજા થયા છે. કોરોનાથી કુલ 9 લાખ 81 હજાર લોકોના મૃત્યું છે. છેલ્લા 24 કલાકમાં વિશ્વમાં 3 લાખ 11 હજાર નવા કેસ નોંધાયા છે. અમેરિકામાં 39,433, ભારતમાં 89,688 નવા કેસ નોંધાયા છે. બ્રાઝિલમાં 32,445, રશિયામાં 6431 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે સ્પેનમાં 11,289, ફ્રાંસમાં 13,072 નવા કેસ નોંધાયા છે.