એક તરફ રાજ્યમાં પાણીની તંગી છે, ત્યારે બીજી તરફ નર્મદા કેનાલમાં બેફામ પાણી ચોરી થઇ રહી છે. આ મામલે અગાઉ કાયદો બનવવા મંત્રી બાવળિયાને રજૂઆત પણ કરવામાં આવી છે. પાણી પુરવઠા વિભાગના અધિકારીઓએ મંત્રી બાવળિાયને રજૂઆત કરી હતી. પાણી પુરવઠા વિભાગના રિપોર્ટમાં આ વિગતો સામે આવી છે કે, કાયદો ન હોવાથી ચોરી કરનારને કોઇ ડર રહેતો નથી. રાજકીય વગ ધરાવતા લોકો ગેરફાયદો ઉઠાવીને પાણી ચોરી કરી રહ્યાં છે.
આ રિપોર્ટ પ્રમાણે, ઢાકીથી માળિયા સુધી માળિયા કેનાલ પર સૌથી વધુ પાણી ચોરી કરવામાં આવી રહી છે. 132 કિ.મી.ની નર્મદા કેનાલમાં ગેરકાયદેસર પાણી ચોરી થઈ રહી છે. 70થી 90 કિ.મીના વિસ્તારમાં પાણી ચોરી વધારે થાય છે. પાણી ચોરીને કારણે ગામડા સુધી પીવાનું પાણી પહોંચી શકતુ નથી.
તો હળવદ તાલુકા વિસ્તારમાં પણ પાણી ચોરી થાય છે. કેનાલના તળિયામાં આડા બોર કરી બક નળી નાખવામાં આવે છે. એક સાથે 50 બકનળી નાખીને પાણીની ચોરી કરવામાં આવે છે. બકનળી જમીનની અંદર હોવાથી પાણી ચોરી પકડાતી નથી. 1 પંપ અથવા બકનળીની મદદથી 0.1 ક્યુસેક પાણીની ચોરી થઇ શકે છે. જેને લઈને રોજ અંદાજીત 150 ક્યુસેક પાણીની ચોરી થાય છે.
મહત્વનું છે કે, 1 પંપ-બકનળીની મદદથી એક ગામને પૂરૂ પાડી શકાય તેટલા પાણીની ચોરી કરવામાં આવે છે. કેનાલમાં નર્મદા નિગમ પાણી પૂરવઠાને અંદાજિત રૂપિયા ત્રણ કરોડના ખર્ચે 700 ક્યુસેક જેટલું પાણી આપે છે. જોકે, ગામડાઓ સુધી પુરતા પ્રમાણમાં પાણી પહોંચતુ નથી.
સુરેન્દ્રનગરઃ પીવાની મુખ્ય પાણીની પાઇપલાઇનમાંથી ગેરકાયદેસર પાણી ચોરી
સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના ઢાંકી પંપીગ સ્ટેશનેથી સૌરાષ્ટ્ર-કરછ સહીત પોરબન્દર સહિતના જિલ્લાઓમાં પાઈપલાઈન દ્વારા પાણી પહોંચાડવામાં આવે છે ત્યારે જિલ્લામાંથી પસાર થતી પાઇપલાઇનમાંથી ગેરકાયદેસર પાણી ચોરી અંગે પુરવઠા વિભાગ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. અને પાણીની ચોરી કરતા શખ્સો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
પંચમહાલ કાકણપૂરમાં નર્મદા કેનાલમાંથી પાણી ચોરી કેસ
પંચમહાલના કાકણપૂરમાં નર્મદા કેનાલમાં થઇ રહેલી પાણી ચોરીને અટકાવવા નર્મદા વિભાગ હરકતમાં આવ્યું છે. સફાળાં જાગેલા તંત્ર દ્વારા સિક્યુરિટી સાથે તપાસ હાથ ધરાઇ હતી. તપાસ દરમિયાન કેનાલમાં નાખવામાં આવેલી બક નળીઓ કબજે લેવામાં આવી હતી. મહત્વનું છે કે કાકણપૂર નર્મદા કેનાલમાં પાણી થઇ રહી હતી. ખેડૂતો કેનાલમાંથી ખેતરમાં પાણી લીફ્ટિંગ કરતા હોવાની ફરિયાદ ઉઠી હતી જેને લઇ નર્મદા વિભાદ દ્વારા કાર્યવાહી કરાઇ.
સમગ્ર રાજ્યમાં ગત વર્ષે
ઓછો વરસાદ પડતા દુષ્કાળની પરિસ્થિતિ સર્જાઈ છે. ત્યારે મોટાભાગના ડેમો અને તળાવો પણ ખાલીખમ થઇ ગયા છે. ઢાંકી પમ્પીંગ સ્ટેશનની પાણીની પાઇપલાઇનો સહીત મુખ્ય અને બ્રાન્ચ કેનાલો દ્વારા સૌરાષ્ટ્ર, કચ્છ, પોરબંદર, દ્વારકા સહીત અનેક જિલ્લાઓમાં પાણી આપવામાં આવે છે. પરંતુ વચ્ચેથી પાણીની ગેરકાયદેસર ચોરી થતા આગળ પુરા ફોર્સથી પાણી ન મળતા પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ અને ટિમ દ્વારા ચેકીંગ હાથ ધરી ગેરકાયદેસર પાણી ચોરી ઝડપી પાડી હતી. પાણી પુરવઠા વિભાગની આ કામગીરીની પ્રજાજનોએ પણ પ્રશંસા કરી હતી.