રાજધાનીમાં 576 સરકારી બંગલા પર રિટાયર્ડ અધિકારીઓ અને પૂર્વ સાંસદોના ગેરકાયદેસર કબ્જાને લઇને નારાજગી વ્યક્ત કરતાં દિલ્હી હાઇકોર્ટે કેન્દ્ર સરકારને ફટકાર લગાવી છે. કોર્ટ દ્વારા 2 અઠવાડીયાની અંદર તેને ખાલી કરાવાના આદેશ આપ્યાં છે.
કોર્ટે બે અઠવાડિયામાં ખાલી કરાવા આપ્યો આદેશ
કોર્ટે પૂછ્યું મકાન ખાલી કેમ કરાવ્યાં નથી?
કબ્જા જમાવી બેઠેલા લોકો પાસેથી લેણી રકમ વસૂલો
હાઇકોર્ટ દ્વારા આદેશ આપવામાં આવ્યો છે કે જો તેઓ બંગલો ખાલી કરતા નથી તો 2 અઠવાડિયામાં તેમનો સામના રોડ પર ફેંકી દેવામાં આવે.
ચીફ જસ્ટિસ ડી.એન.પટેલ અને જસ્ટિસ સી હરિ શંકરે જણાવ્યું છે કે સરકાર તેમની પાસેથી લઇ લે અને અત્યાર સુધી રિકવરી શરૂ ન કરવાને લઇને કોર્ટે સરકારને ફટકાર લગાવી છે. ઉલ્લેખનીય છે કે આમાંથી કેટલાક લોકોએ એક દાયકાથી પણ વધારે સમયથી કબ્જો કરી રાખ્યો છે અને તેના પર 95 લાખ રૂપિયાથી વધારે લેવાના બાકી છે.
હજુ સુધી કેમ નથી મોકલાય નોટિસ?
હાઇકોર્ટે શહેરી વિકાસ અને આવાસ મંત્રાલયને જણાવ્યું છે કે જો કોઇ સરકારી આવાસમાં વધારે સમય સુધી રહે છે તો તમારે તેના હટાવા માટે 5 વર્ષના પ્લાનની જરૂરિયાત નથી? અંદાજે 600 બંગલા ખાલી કરાવી શકાયા નથી. તેમના પાસેથી તમે આવાસ ખાલી કેમ કરાવ્યાં નથી? તેમને રિકવરી માટે હજુ સુધી કોઇ નોટિસ કેમ મોકલવામાં આવી નથી.
2 અઠવાડિયામાં ખાલી ન કરે તો સામાન બહાર ફેંકો
કોર્ટે ટેક્સપેયર્સના રૂપિયાની બરબાદીનો ઉલ્લેખન કરતાં કહ્યું કે જો કોઇ અન્ય કોર્ટ દ્વારા ખાલી કરવાને લઇને કોઇ સ્ટે ન હોય, તે જાતે આવાસ ખાલી કરતાં નથી તો બે અઠવાડિયામાં તેમનો સામાન રોડ પર નાંખી દો.