અમદાવાદમાં ગેરકાયદેસર મટનની દુકાન ખોલનારા માલીકો સામે કાયદેસરની કાર્યવાહી કરીને તેમની દુકાનો બંધ કરવામાં આવશે. મનપાની સ્ટેન્ડિંગ કમીટી દ્નારા આ મામલે નિર્ણય લેવામાં આવ્યો છે.
ગેરકાયદેસર મટનની દુકાન ખોલનાર સામે લેવાશે મોટા પગલા
અમદાવાદ મનપાની સ્ટેન્ડિંગ કમિટીએ લીધો મોટો નિર્ણય
મટનની દુકાન ધરાવતા લોકોના લાયસન્સ ચેક કરાશે
અમદાવાદ મનપા સ્ટેન્ડિંગ કમીટી દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય અમદાવાદમાં ખુલેલી મટનની દુકાનોને લઈને લેવામાં આવ્યો છે. જેમા ગેરકાયદેસર દુકાનોના માલિક સામે હવે કાયદેસરના પગલા લેવામાં આવશે. સાથેજ તેમની દુકાનો પણ હવે બંધ કરવી દેવામાં આવશે.
ધાર્મિક સ્થળ નજીક દુકાનો ખુલવાની ફરિયાદો
સ્ટેન્ડિગ કમિટીના સભ્યોની એવી ફરિયાદ હતી કે ધાર્મીક સ્થળોની નજીકમાં પણ હવે મટનની દુકાનો ખુલી રહી છે. જેના કારમે લોકોની લાગણીઓ દુભાઈ રહી છે. પરીણામે બેઠકમાં આ મુદ્દે ચર્ચા કરવામાં આવી અને બાદમાં ગેરકાયદેસર દુકાનોને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
દુકાનદારોના લાયસન્સ ચેક કરવામાં આવશે
સમગ્ર મામલે મનપાના અધિકારીઓ દ્વારા આ મુદ્દે કામગીરી ગમે ત્યારે શરૂ કરવામાં આવી શકે છે. જેમા સૌથી પહેલાતો દુકાનદારોના લાયસન્સ ચેક કરવામાં આવશે. અને જે પણ દુકાનદાર પાસે લાયસન્સ નહી હોય તેની સામે કાયદેસરના પગલા લેવામાં આવશે.
મનપા અધિકારીઓને ફરિયાદો મળી હતી
ઉલ્લેખનીય છે કે ધાર્મિક સ્થળોની નજીકમાં મટનની દુકાનો ખુલી રહી છે. જેને લઈને મનપાના અધિકારીઓને ઘણી ફરિયાદો મળી છે. જે ફરિયાદો વધી જતા તાબડતોડ મનપાના અધિકારીઓએ બેઠક લીધી હતી. મનપા સ્ટેન્ડિંગ કમીટી દ્વારા આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો . જેમા ગેરકાયદેસર દુકાનોને હવે બંધ કરવામાં આવશે.