દેશમાં હવે ધીરે-ધીરે કોરોનાની ત્રીજી લહેર સંપૂર્ણપણે ખતમ થવા જઇ રહી છે એવામાં વધુ એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યાં છે. IIT કાનપુરના વૈજ્ઞાનિકોએ એવો દાવો કર્યો છે કે, દેશમાં હવે 22 જૂનથી કોરોનાની ચોથી લહેર દસ્તક દઇ શકે છે.
દેશમાં હજુ ત્રીજી લહેર ખતમ નથી થઇ ત્યાં તો ચોથી લહેરનાં એંધાણ
IIT કાનપુરના વૈજ્ઞાનિકોનો દાવો!
દેશમાં 23 ઓગસ્ટની નજીક પીક પર હશે ચોથી લહેર
અંદાજે 23 ઓગસ્ટની નજીક ચોથી લહેર પીક પર હશે. જો કે, 22 ઓક્ટોબર સુધીમાં તેનો પ્રભાવ સંપૂર્ણ રીતે ધીમો પડી જશે. વૈજ્ઞાનિકોએ આ સંશોધન મેડ આર્કિવ વેબસાઇટ પર પણ પ્રકાશિત કરેલ છે.
આ રિપોર્ટ તેમનો નથી, આથી કોઇ પણ પ્રકારની ટિપ્પણી કરવી કદાચ ઉતાવળ : કાનપુરના વરિષ્ઠ વૈજ્ઞાનિક
જો કે, આ દાવા પર સૂત્ર મોડલથી કોરોનાની સ્થિતિ દર્શાવનાર IIT કાનપુરના વરિષ્ઠ વૈજ્ઞાનિકે હજુ સુધી પોતાની મહોર નથી મારી. તેઓનું કહેવું છે કે, આ રિપોર્ટ તેમનો નથી. આથી તેની પર કોઇ પણ પ્રકારની ટિપ્પણી કરવી એ કદાચ ઉતાવળ ગણાશે.
IIT ના ગણિત અને આંકડાશાસ્ત્ર વિભાગના વૈજ્ઞાનિકોએ ગાસિયન વિતરણ પ્રણાલીના આધાર પર કોરોનાની ચોથી લહેરને લઇને મૂલ્યાંકન કર્યું છે. તેઓએ આ મૂલ્યાંકન માટે અવર વર્લ્ડ ઇન ડેટા ડાટ ઓઆરજી નામની વેબસાઇટ પરથી કોરોનાની પહેલી લહેરથી માંડીને અત્યાર સુધીના આંકડાઓનો ડેટા લઇને અભ્યાસ કર્યો છે.
વિશ્વમાં કોરોનાનો પ્રથમ કેસ ડિસેમ્બર 2019માં સામે આવ્યો હતો
પ્રો. શલભ અને પ્રો. શુભ્રા શંકર ઘરના નિર્દેશનમાં સંશોધક સબરા પ્રસાદ, રાજશે અભ્યાસના આધાર પર ચોથી લહેરની પીકનો સમય નીકાળવા માટે બૂટસ્ટ્રેપ પ્રણાલીનો ઉપયોગ કર્યો છે. જે અનુસાર, કોરોના સંક્રમણનો પ્રથમ કેસ વિશ્વમાં પ્રથમ વખત ડિસેમ્બર 2019માં સામે આવ્યો હતો. ઝિમ્બાવે અને ભારતમાં ત્રીજી લહેરના આંકડા લગભગ એક સમાન હતાં. વર્તમાનમાં ઝિમ્બાવેમાં ચોથી લહેર શરૂ થઇ ગઇ છે. આ જ કારણોસર ઝિમ્બાવેના ડેટાને આધાર માનીને ટીમે ગાસિયન વિતરણ મિશ્રણ પ્રણાલીનો ઉપયોગ કરીને ભારતમાં ચોથી લહેરનું મૂલ્યાંકન કર્યું છે.
ડૉ. શલભના જણાવ્યાં અનુસાર, આંકડાકીય ગણતરીઓના આધારે એવું જાણવા મળ્યું છે કે, ભારતમાં કોરોનાની ચોથી લહેર પ્રારંભિક ડેટા મળ્યાની તારીખથી લઇને 936 દિવસ બાદ આવી શકે છે. એ અનુસાર, ભારતમાં ચોથી લહેર તારીખ 22 જૂન 2022થી શરૂ થવાનું અનુમાન છે.