Omicron નાં ભય વચ્ચે કોરોનાનાં કેસ વધે તેવી સંભાવના છે. હવે એક વૈજ્ઞાનિક દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે ત્રીજી વેવ હવે નજીક જ છે. જેમાં બાળકો પર અને વૃદ્ધો પર અસર થશે.
જાન્યુઆરી મહિનામાં આવી શકે છે ત્રીજી વેવ
IIT ના વરિષ્ઠ વૈજ્ઞાનિકનો દાવો
ત્રીજી લહેર હશે ઓછી ઘાતક
કોરોના વાયરસનાં સંક્રમણના ભય વચ્ચે હવે Omicron નો ફેલાવો પણ વધારે થઈ રહ્યો છે તેને લઈને આફ્રીકા અને યુરોપના કેટલાક દેશોમાં ખળભળાટ મચ્યો હતો. ઓમિક્રૉને ભારતમાં એન્ટ્રી લેતા જ હવે તંત્રની ચિંતા વધારી દીધી છે.
જાન્યુ.- ફેબ્રુ. સુધીમાં આવી શકે છે ત્રીજી લહેર
રવિવાર સુધીમાં દેશમાં ઓમિક્રૉનના 5 કેસ આવી ચૂક્યા છે. અને વૈજ્ઞાનિકો આશંકા દર્શાવી રહ્યા છે કે જાન્યુઆરીના છેલ્લા અઠવાડિયા કે ફેબ્રુઆરીની શરૂઆતમાં ઓમિક્રૉન ટોચ પર હશે. IIT ના વરિષ્ઠ વૈજ્ઞાનિક પદ્મશ્રી મણીન્દ્ર અગ્રવાલે નવા એક રિસર્ચમાં આ દાવો કર્યો હતો.
ત્રીજી લહેર હશે ઓછી ઘાતક
પ્રો. મણીન્દ્ર અગ્રવાલે દાવો કર્યો છે કે બીજી લહેરની સરખામણીમાં ત્રીજી લહેર ઓછી ઘાતક હશે. મણીન્દ્ર અગ્રવાલ પોતાના ગાણિતિક મોડલ સૂત્રના આધારે આ નિષ્કર્ષ પર આવ્યા હતા.
દરરોજ એકથી દોઢ લાખ દર્દીઓ મળશે
આ તારણો અનુસાર, અત્યાર સુધી જે પણ કેસ સ્ટડી સામે આવ્યા છે, તેમાં સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે પરંતુ તે બહુ ઘાતક હોવાનું જાણવા મળ્યું નથી. પ્રો. અગ્રવાલના જણાવ્યા અનુસાર, બીજી વેવના હળવા થયા પછી એટલે કે સપ્ટેમ્બરમાં, ત્રીજી વેવ વિશે તેમના દ્વારા કરાયેલું અનુમાન સાચું સાબિત થઈ રહ્યું છે. ઘણા દેશોમાં ફેલાયા બાદ ભારતમાં પણ ઓમિક્રોનના કેસ આવવા લાગ્યા છે. તેમણે કહ્યું હતું કે જ્યારે ત્રીજી વેવ સૌથી ટોચ પર હશે, ત્યારે દરરોજ એકથી દોઢ લાખ સંક્રમિત દર્દીઓ જોવા મળે તેવી શક્યતા છે.
બાળકો પર થશે અસર
પ્રો. અગ્રવાલના મતે કોરોનાના ત્રીજા વેવની અસર બાળકો પર ઓછી જોવા મળશે. તેમનામાં લક્ષણો પણ ઓછા દેખાશે અને તેઓ ઝડપથી સ્વસ્થ થઈ જશે. ઉપરાંત, તેમણે કહ્યું કે ઓમિક્રોનથી સંક્રમિત દર્દીઓ જલ્દી સાજા થઈ જશે. તેમનામાં સામાન્ય શરદી જેવા લક્ષણો હશે પરંતુ બીજા વેવ જેટલા નહીં. પ્રો. અગ્રવાલે કહ્યું હતું કે આ પ્રકાર કુદરતી રોગપ્રતિકારક શક્તિને નેચરલ ઈમ્યુનિટી એટલે કે જે લોકો એક વખત કોરોના સંક્રમિત થઈ ગયા છે, તેમણે વધારે ગભરાવાની જરૂર નથી. તેઓ સંક્રમણથી બચી તો શકશે નહીં પરંતુ કોઈ વધુ મોટી સમસ્યા નહીં રહે.
સંપૂર્ણ લોકડાઉનની જરૂર નહીં
પ્રો. અગ્રવાલે એમ પણ કહ્યું કે કોરોના સંક્રમણને રોકવા માટે સંપૂર્ણ લોકડાઉન લાગુ કરવાની જરૂર રહેશે નહીં. જો માત્ર બચાવ માટેનાં તમામ સાધનોનું ચુસ્તપણે પાલન કરવામાં આવે, તો તે પૂરતું છે. જો જરૂરી હોય તો, હળવું લોકડાઉન પણ લાગુ કરવામાં આવી શકે છે.
માસ્ક અને રસી એકમાત્ર ઉપાય
પ્રો. અગ્રવાલના મતે, કોરોનાની ત્રીજી વેવથી બચવાનો શ્રેષ્ઠ ઉપાય એ છે કે સાવચેતી રાખવી અને રસી લેવી. જેમણે હજુ સુધી રસીનો બીજો ડોઝ અથવા પ્રથમ ડોઝ લીધો નથી, તેઓએ તરત જ રસી લેવી જોઈએ. માસ્ક અને સામાજિક અંતરનું પાલન કરવું જોઈએ.