આઈઆઈટી મદ્રાસ નોકરીયાત યુવાનો અને એન્જિનિયર બનવા માંગતા 12માં ધોરણના વિદ્યાર્થીઓ માટે કોર્સ શરુ કરવા જઈ રહ્યા છે. જેમાં વિદ્યાર્થીઓને જુલાઈના ડિસેમ્બર 2020 સુધી 400 ઓનલાઈન કોર્સ કરવાની તક મળશે. આ સર્ટિફિકેટ કોર્સ કરનારા વિદ્યાર્થીઓને સામાન્ય ફી આપવી પડશે. તેમજ ફક્ત જ્ઞાન મેળવવાની ઈચ્છા ધરાવનારાને મફતમાં ભણાવશે.
એનપીટીઈએલ ઓનલાઈન કોર્સમાં ભણવાની તક આપી રહ્યા છે
આ વેબસાઈટ પર લોગ ઈન કરવુ પડશે
3,800 કોલેજોમાં ક્રેડિટ ટ્રાન્સફરનો લાભ
આઈઆઈટી મદ્રાસ અને નેશનલ પ્રોગ્રામ ઓન ટેક્નોલોજી એન્ડહેન્સ્ડ લર્નિગ (એનપીટીઈએલ) ઓનલાઈન કોર્સમાં ભણવાની તક આપી રહ્યા છે. આઈઆઈટી મદ્રાસ અને એનપીટીઈએલના સંયોજક પ્રો. એન્ડ્યૂ તંગારાજના જણાવ્યાનુંસાર આ કોર્સ જુલાઈથી ડિસેમ્બર સુધી ચાલશે. આ માટે રજિસ્ટ્રેશન શરુ છે.
આ કોર્સ માટે આઈઆઈટી, આઈઆઈએસસી પણ મદદ કરશે. આના પ્રોફેસરો વિદ્યાર્થીઓને ભણાવશે. કોરોના ચેપને લીધે શિક્ષણ સંસ્થાઓ બંધ છે. ત્યારે જે વિદ્યાર્થીઓનો કોર્સ અધૂરો રહી ગયો છે. તે અહીંથી પુરો કરી શકે છે. કોર્સમાં રજિસ્ટ્રેશન કરાવવા માટે onlinecourses.nptel.ac.in પર લોગઈન કરવું પડશે.
3,800 કોલેજોમાં ક્રેડિટ ટ્રાન્સફરનો લાભ
પ્રો. તંગારાજના જણાવ્યાનુંસાર એઆઈસીટીઈએ તમામ યુનિવર્સીટી અને કોલેજોને પ્રતિ સેમેસ્ટર 20 ટકા ક્રેડિટ ટ્રાન્સફર કરવા કહ્યું છે. એનપીટીઈએલ હાલમાં 3800થી વધારે કોલેજોમાં કામ કરી રહ્યા છે. આમાં એન્જિનિયરિંગ, આર્ટ્સ, કોમર્સ, સાયન્સ અને મેનેજમેન્ટ કોલેજનો સમાવેશ થયો છે.