ભારતમાં બીજી લહેર કરતાં ત્રીજી લહેરમાં માત્ર ચોથા ભાગના કેસ જોવા મળશે તેવી આગાહી આઈઆઈટીના એક વૈજ્ઞાનિક દ્વારા કરવામાં આવી છે.
કોવિડ 19 ની ત્રીજી લહેર ભારતમાં ઘણા સમયથી ચર્ચાનું કારણ બની રહી છે. ત્યારે હવે આઈઆઈટી કાનપુર દ્વારા એક દાવો કરવામાં આવ્યો છે જેમાં કેટલાક મહત્વના ખુલાસાઓ પણ કરવામાં આવ્યા છે.
ઓકટોબર-નવેમ્બરમાં ચરમસીમાએ હશે ત્રીજી લહેર
ભારતમાં ત્રીજી લહેરને લઈને આગાહી કરતાં મહામારીનું ગાણિતિક નિરૂપણ કરતાં એક વૈજ્ઞાનિકે કહ્યું હતું કે ભારતમાં ઓકટોબર-નવેમ્બર મહિનાઓ દરમિયાન કોરોના ચરમ સીમાએ રહેશે. પરંતુ આ સમયે પણ ત્રીજી લહેરની તીવ્રતા બીજી લહેરની સાપેક્ષમાં ઓછી રહેવાની છે. આઈઆઈટી કાનપુરના વૈજ્ઞાનિકી મણીન્દ્ર અગ્રવાલે કહ્યું હતું કે જો કોરોનાનું કોઈ નવું જ સ્વરૂપ ન આવે તો આ સ્થિતિમાં બદલાવની કોઈ સંભાવના નથી. અગ્રવાલ ત્રણ સદસ્યોની વિશેષજ્ઞ ટીમનો હિસ્સો છે જે સંક્રમણમાં વધારા ઘટાડાના અનુમાન લગાવવાનું કરી કરે છે.
ત્રીજી લહેરમાં રોજના એક લાખ કેસ આવશે
તેમણે કહ્યું હતું કે ત્રીજી લહેર આવશે તો દેશમાં રોજના એકલાખ કોરોનાના કેસ સામે આવશે. જ્યારે મી મહિનામાં બીજી લહેર દરમિયાન કોરોના પોતાની ટોચ પર હતો ત્યારે રોજના ચાર લાખ કેસ સામે આવતા હતા. અને બીજી લહેર દરમિયાન અનેક લોકોના મોત પણ થયા હતા.
જો મ્યુટેશન નહીં થાય તો ત્રીજી લહેરની સંભાવના ઓછી
અગ્રવાલે ટ્વિટ કરીને એમ પણ કહ્યું હતું કે જો મ્યુટેશન નહીં થાય તો સ્થિતિ આવી જ બનેલી રહેશે પણ સપ્ટેમ્બર મહિના સુધીમાં જો 50 ટકા નવા સંક્રામક મ્યુટેશન સામે આવે તો નવા જ સ્વરૂપે ત્રીજી લહેર આવશે અને આ સ્થિતિમાં રોજના એકલાખ કેસ સામે આવશે.
અગ્રવાલે કહ્યું હતું કે નવા સ્ટડીમાં તેમણે વેકસીનેશન અને સિરો સર્વેક્ષણને પણ સામેલ કર્યું હતું. જેના કારણે હવે ત્રીજી લહેરમાં પ્રતિ દિવસ કેસ સંખ્યા ઓછી થવાની સંભાવના પર પ્રકાશ ફેંકવામાં આવ્યો હતો.
આર ફેક્ટર 00.89%જુલાઇ અને ઓગસ્ટમાં થયેલ વેકસીનેશન અને સિરો સર્વેક્ષણને ધ્યાનમાં લેતા આર ફેક્ટર 00.89% જેટલો હોવાનું સ્ટડીમાં કહેવામાં આવ્યું છે. આ ફેક્ટર દ્વારા એક સંક્રમિત વ્યક્તિ કેટલા લોકોમાં સંક્રમણ ફેલાવી શકે છે તે જાણી શકાય છે. સંક્રમણનો ફેલાવો અટકાવવા માટે આર ફેક્ટર એક કરતાં ઓછો હોવો જરૂરી છે.
અલગ અલગ દેશોમાં જોવા મળ્યો C.1.2 વેરિયન્ટ
વિશ્વના મોટા ભાગના દેશો હાલ કોરોના મહામારી સામે લડી રહ્યા છે. ભારતમાં પણ કોરોનાની ત્રીજી લહેરને લઈને ભયનો માહોલ છવાયેલો છે. ત્યારે આવા સમયે દક્ષિણ આફ્રિકા સહિત વિશ્વના ઘણા દેશોમાં કોરોનાનો એક ઘાતક વેરિએંટ જોવા મલી રહ્યો છે. આ વેરિએંટ પહેલા કરતા વધારે સંક્રામિક હોવાનું સામે આવ્યું છે.
વિશેષજ્ઞોનું કહેવું છે આ વેરિએંટ જે લોકોએ વેક્સિન લીધી હોય તે લોકોને પણ હેરાન કરી શકે છે. આ વેરિએંટનું નામ C.1.2 છે અને વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે મે મહિનામાં આ વેરિએંટ સૌથી પહેલા સામે આવ્યો હતો. ત્યારબાદ હવે ઓગસ્ટ મહિનાના અંતમાં ચીન, કોન્ગો, ઈગ્લેંડ, ન્યૂઝીલેંડ અને સ્વિટ્જરલેન્ડમાં આ વેરિએંટ જોવા મળ્યો છે.