કોરોના વાયરસની બીજી લહેરે એવો આતંક મચાવ્યો કે લોકો તે ભૂલી નહીં શકે. ઘણા લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા અને ઘણા બાળકોએ માતા-પિતા પણ ગુમાવ્યા.
આઇઆઇટીના પ્રોફેસર મણીન્દ્ર અગ્રવાલનો દાવો
ત્રીજી લહેર ઓકટોબર-નવેમ્બર સુધીમાં આવી જશે
કોરોનાના નિયમોનું કરવું પડશે પાલન
આઇઆઇટીના પ્રોફેસર મણીન્દ્ર અગ્રવાલનો દાવો
કોરોના વાયરસની બીજી લહેરે એવો આતંક મચાવ્યો કે લોકો તે ભૂલી નહીં શકે. ઘણા લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા અને ઘણા બાળકોએ માતા-પિતા પણ ગુમાવ્યા. આ બધા વચ્ચે દેશમાં કોરોનાની ત્રીજી લહેર આવવામાં ગણી શકાય તેવા સમાચાર ઘણી સંસ્થાઓ અને સરકાર દ્વારા પણ કરવામાં આવી રહ્યા છે. હવે IIT કાનપુરના પ્રોફેસરે એક કોરોનાની ત્રીજી લહેરને લઈ એક રાહતના સમાચાર આપ્યા છે. આઇઆઇટીના પ્રોફેસર મણીન્દ્ર અગ્રવાલના ગણિતીય વિશ્લેષણના સૂત્ર દ્વારા તેમણે દાવો કર્યો છે કે કોરોનાની ત્રીજી લહેર બીજી લહેર કરતાં ઓછી ઘાતક સાબિત થશે.
ત્રીજી લહેર ઓકટોબર-નવેમ્બર સુધીમાં આવી જશે
આ પ્રોફેસરના કહ્યા મુજબ, ત્રીજી લહેરને લઈ તેમણે અને ટીમના સભ્યોએ છેલ્લા એક મહિનામાં પોતાના મોડેલ દ્વારા ઘણી ગણતરીઓ કરી. જેમાંથી એ તારણ નીકળે છે કે આ ત્રીજી લહેર પ્રભાવશાળી નથી. તે લોકોએ આ માટે ત્રણ કેટેગરી બનાવી છે. આગળ તેમણે કહ્યું કે જો ઓગસ્ટ મહિના સુધીમાં જો નવો કોઈ વેરિયન્ટ આવે છે અને તે વધુ ઝડપથી ફેલાશે તો પણ ત્રીજી લહેર ઓકટોબર-નવેમ્બર સુધીમાં આવી જશે. આ લહેર પહેલી લહેર મુજબ જ હશે.
કોરોનાના નિયમોનું કરવું પડશે પાલન
એક ભારતીય પ્રૌદ્યોગિક સંસ્થાના રિપોર્ટ પરથી એ તારણ નીકળી છે કે જો લોકડાઉન પરના પ્રતિબંધ હટાવી લેવામાં આવે અને વાયરસનું સ્વરૂપ પણ ઇમ્યુનિટીને પણ નબળી કરી નાખે તેવું થઈ જાય તો બીજી લહેર કરતાં પણ વધુ ભયાનક લહેર દેશમાં આવશે. વધુમાં એક કાર્યક્રમમાં તેમણે કહ્યું કે કોરોનાના નિયમોનું પાલન કરવું, માસ્ક પહેરવું, અને રસીકરણ જેવી બધી જ બાબતોનું ધ્યાન રાખવું પડશે. આ બાબતોનું ધ્યાન રાખીશું તો ત્રીજી લહેર આવતા રોકી શકીશું.