જેઈઈ મેઈન્સ પરીક્ષામાં બે તબક્કામાં લેવાઈ હતી, જેમાં કેટલાય સેન્ટર પર ખામીઓ સર્જાઈ હતી, તેને લઈને અમુક વિદ્યાર્થીઓએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી, જો કે કોર્ટે હવે નિશ્ચિત તારીખે પરીક્ષા કરાવાનો નિર્ણય કર્યો છે.
જેઈઈ એડવાંસ્ડ પરીક્ષા નિશ્ચિત તારીખે જ લેવાશે
સુપ્રીમ કોર્ટમાં આ મામલે થઈ હતી સુનાવણી
અનેક સેન્ટર પર ખામી સર્જાતા વિદ્યાર્થીઓએ કોર્ટમાં ગયા હતા
IITમાં એડમિશન માટે એન્ટ્રેસ એક્ઝામ જેઈઈ એડવાંસ્ડ 2022ની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ માટે જરૂરી સમાચાર આવ્યા છે. આપની પરીક્ષા નિશ્ચિત તારીખે જ લેવાશે. જેઈઈ એડવાંસ્ડ 2022ની તારીખમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. પૂર્વ નિર્ધારિત શિડ્યૂલ એટલે કે, રવિવાર 28 ઓગસ્ટ 2022ના રોજ આઈઆઈટી જેઈઈ એડવાંસ્ડ પરીક્ષા લેવાશે. તો વળી જેઈઈ મેઈન્સ 2022માં પણ બીજી તબક્કાની આશા ખતમ થઈ ચુકી છે. શુક્રવારે 26 ઓગસ્ટના રોજ સુપ્રીમ કોર્ટે આ મામલે નિર્ણય સંભળાવ્યો છે.
ટેકનિક અડચણ ઠોસ કારણ નથી
સુપ્રીમ કોર્ટમાં અરજી લગાવામાં આવી હતી કે, જેઈઈ મેઈન્સ પરીક્ષામાં ઉમેદવારોને બીજો મોકો આપવામાં આવે. અરજીકર્તાનું કહેવુ હતું કે ટેકનિકલ અડચણોના કારણે જેઈઈ મેઈન્સ 2022 એક્ઝામમાં તે 50 સવાલ અટેમ્પટ નહીં કરી શકે. આ ટેકનિક ખામી કેડીંડેટની ભૂલ નહોતી. પણ સેન્ટરની ભૂલોનું પરિણામ વિદ્યાર્થીઓએ ચોક્કસથી ભોગવવું પડશે. એટલા માટે કેંડિડેંટને ફરી એક વાર મોકો મળે. જેથી તેમને ન્યાય મળી શકે.
પણ સુપ્રીમ કોર્ટે આ અરજી રદ કરી દીધી હતી. વડી અદાલતે કહ્યુ કે, અમે આ પરીક્ષામાં વધારે જટિલતા ઊભી કરી શકીએ નહીં. સાર્વજનિક પરીક્ષાઓની નિયમિતતા બનાવી રાખવી જોઈએ. વિદ્યાર્થીઓ કોર્ટમાં જતા રહે છે, IIT JEE 2022 એડવાંસ્ડની પરીક્ષા નિશ્ચિત સમય પર થવા દો.
લાખો વિદ્યાર્થીઓએ આપી હતી જેઈઈ મેઈન્સ પરીક્ષા, કેટલાય સેન્ટર પર આવી હતી અડચણો
આ વર્ષે જેઈઈ મેઈન્સ પરીક્ષા બે સેશનમાં લેવામાં આવી હતી. જૂન અને જૂલાઈમાં આ બંને સત્રની એક્ઝામ લેવાઈ હતી. જો કે, બંને અવસર પર દેશભરમાં અલગ અલગ કેન્દોર પર ટેકનિકલ ખામીઓ સર્જાઈ હતી. કેટલાય વિદ્યાર્થીઓને આ સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. અને તેના માઠા પરિણામ પણ ભોગવવા પડ્યા હતા. તેને લઈને સુપ્રીમ કોર્ટમાં અરજી લગાવામાં આવી હતી.