ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી(IIT)હૈદરાબાદ અને ડોક્ટર બીઆર આંબેડકર નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી(NIT) જાલંધરના સંશોધકોએ જણાવ્યુ કે તેમણે ઇંડાની છાલમાંથી હાડકાનું ઇમ્પ્લાન્ટ બનાવવાની પ્રક્રિયા વિકસાવી છે.
સંશોધકોએ જણાવ્યુ કે તેઓ હાડકાની સબસ્ટીટ્યુટ સામગ્રી જેમ કે ટ્રાઇકેલ્શિયમ ફોસ્ફેટ કોઇ પણ ઝેરીલા કેમિકલ જેમકે ટ્રાઇકેલ્શિયમ ફોસ્ફેટ(TCP)ને કોઇપુણ ઝેરીલા રસાયણના પ્રયોગ વગર પ્રાકૃતિક સ્ત્રોતથી બનાવવા ઇચ્છતા હતા.
સંશોધકોની નજરમા સામગ્રી બનાવવા માટે સૌથી મોટો પ્રાકૃતિક સ્ત્રોત ઇંડાની છાલ હતી. ઇંડાની છાલમાં સૌથી વધુ કેલ્શિયમ યુક્તમિનરલ(95.1 %) હોય છે. તેની સાથે પ્રોટીન અને પાણી પણ હોય છે. આધુનિક ચિક્ત્સામાં હાડકા તુટવા પર કે તેને હટાવવા પર કોઇ ડોનર પાસેથી તેને લેવાય છે અથવા તો કૃત્રિમ સામગ્રી જેમકે પ્લાસ્ટર ઓફ પેરિસ કે કેલ્શિયમ ફોસ્ફેટમાંથી તે બનાવાય છે.
સંશોધકોના જણાવ્યા અનુસાર ઇંડાની છાલમાંથી બનાવેલા બાયો સિરેમિકમાં અન્ય સિન્થેટીક પાવડરની સરખામણીમાં સ્વાભાવિક રીતે વધુ જૈવ અનુકુળતા હોય છે. ઇંડાની છાલમાં જૈવ સક્રિય આયન તત્વ મળી આવે છે. સંશોધકોએ ઇંડાની છાલમાંથી TCP નેનોપાવડર તૈયાર કરી લીધો છે. સક્રિય કેલ્શિયમ ફોસ્ફેટ પાવડરના ઉત્પાદન માટે તેમણે એક મિલિંગ પ્રક્રિયાનો ઉપયોગ કર્યો જેને બોલ મિલિંગ કહેવાય છે. તેમણે જણાવ્યુ કે ઇંડાની છાલના કચરામાંથી બનેલી સામગ્રી વ્યાવસાયિક રીતે ઉપલબ્ધ TCPનુ સ્થાન લઇ શકે છે.