આઇઆઇટી ગુવાહાટીના સંશોધકોએ કાગળમાંથી એક એવું સેન્સર વિકસાવ્યું છે જે થોડી જ મિનિટની અંદર રંગ બદલીને દૂધની ગુણવત્તા અને તેની ફ્રેશનેસની સ્પષ્ટ જાણકારી આપશે. બાયો સેન્સર એન્ડ બાયો ઇલેક્ટ્રોનિક નામની જર્નલમાં પ્રકાશિત એક અભ્યાસમાં સંશોધકોએ જણાવ્યું કે દૂધની ગુણવત્તા અને તેની તાજગી એ વાત પર નિર્ભર કરે છે કે દૂધમાં સૂક્ષ્મ જીવોની ઉપસ્થિતિ કેવી છે? સંશોધકોએ કહ્યું કે દૂધમાં ઉદ્ભવતાં બેક્ટેરિયા અને અન્ય સૂક્ષ્મ જીવો માત્ર તેના સ્વાદ અને તાજગીને પ્રભાવિત કરવાની સાથે આપણા સ્વાસ્થ્ય માટે પણ જવાબદાર હોય છે.
આઇઆઇટી ગુવાહાટીની અનોખી શોધ
સંશોધકોએ કાગળમાંથી વિકસાવ્યું અનોખું સેન્સર
દૂધની ગુણવત્તા અને તેની ફ્રેશનેસ ચકાસી શકાશે
આઇઆઇટી ગુવાહાટીના સહાયક પ્રોફેસરના નેતૃત્વમાં સંશોધકોની ટીમે કરેલા અભ્યાસમાં જણાવાયું છે કે સામાન્ય રીતે પાશ્ચુરીકરણ દ્વારા દૂધમાં સૂક્ષ્મ જીવોને ખતમ કરવામાં આવે છે અને આ પ્રક્રિયાની પ્રભાવશીલતા સુનિશ્ચિત કરવા માટે વિવિધ પરીક્ષણોનો ઉપયોગ કરાય છે.
આઇઆઇટીના સંશોધકોની અનોખી શોધ
સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતાં પરીક્ષણ જેમ કે મેથિલિન બ્લ્યુ ટેસ્ટ ઘણો વધુ સમય લે છે અને સૂક્ષ્મ જીવોની ઉપસ્થિતિ તેમજ અનુપસ્થિતિને જાણવા માટે ઘણા કલાકો લાગી જાય છે. બીજી તરફ સ્પેક્ટ્રોફોટોમીટર દ્વારા થતાં ટેસ્ટ પણ જટિલ હોય છે. આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે આઇઆઇટીના સંશોધકોએ વિશેષ ઉપકરણો વગર જ દૂધની ગુણવત્તા ચકાસવા માટે સાધારણ વિઝ્યુઅલ ડિટેક્શન ટેકનિક વિકસાવી છે.
નવી ટેકનિકથી દૂધની ગુણવત્તાની કરાશે પરખ
સંસ્થાએ સહાયક પ્રોફેસર ચંદ્રાના એક નિવેદનમાં જણાવ્યું કે નવી ટેકનિકથી દૂધની ગુણવત્તાની પરખ થઇ શકે છે. તેનો ઉપયોગ તમે કિચનમાં સરળતાથી કરી શકો છો. આ માટે સરળતાથી સંચાલિત થતી પોર્ટેબલ ડિટેક્શન સીટની જરૂર પડે છે. આલ્કલિન ફોસ્ફેટ એક મેટાલોપ્રોટિન છે. જે પ્રાકૃતિક રીતે કાચા દૂધમાં મળી આવે છે અને દૂધની ગુણવત્તા નિયંત્રણમાં એક મહત્ત્વપૂર્ણ બાયોમાર્કર માનવામાં આવે છે. પાશ્ચુરીકરણ દરમિયાન તે નષ્ટ થઇ જાય છે.
નવી ટેકનિકમાં એક સાધારણ ફિલ્ટર પેપરનો કરાયો ઉપયોગ
પશુઓ પાસેથી મળતા દૂધમાં એએલપીની માત્રા સર્વાધિક હોય છે અને સંક્રમણથી ઘણી વાર તે ખરાબ થવાની શક્યતાઓ વધી જાય છે. આ સંજોગોમાં દૂધમાં એએલપીની જાણ માટે પાશ્ચુરીકરણથી દૂધ ખરાબ થવાની શક્યતા વધી જાય છે. નવી ટેકનિકમાં એક સાધારણ ફિલ્ટર પેપરનો ઉપયોગ કરાયોછે, જે રાસાયણિક રીતે શોધવામાં આવ્યું છે. તેનાથી દૂધમાં એએલપીની માત્રાની જાણ થાય છે. તેમાં દૂધના નમૂના નાખતા જો કાગળ લીલો થઇ જાય તો તેનો અર્થ એ છે કે દૂધમાં એએલપીની હાજરી છે. એએલપીની અનુપસ્થિતિમાં આ કાગળ રંગ બદલતો નથી. આ સેન્સરથી માત્ર ૧૩ મિનિટમાં દૂધની ગુણવત્તા જાણી શકાય છે.