આઈઆઈટી મુંબઈના એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે દેશની આર્થિક રાજધાની મુંબઈમાં કોરોના કાબૂમાં આવતા બે અઠવાડિયા જેટલો સમય લાગશે. રિપોર્ટમાં જણાવ્યાનુંસાર દેશની સ્થિતિમાં પણ બહું જલ્દી પરિવર્તન જોવા મળશે. આ દાવો કમ્પ્યુટર સાયન્સ વિભાગના પ્રોફેસર ડૉ. ભાસ્કરન રમણે કોરોના નિયંત્રણ પર તૈયાર કરેલા રિપોર્ટના આધારે કરવામાં આવ્યો છે.
આ દાવો કમ્પ્યુટર સાયન્સ વિભાગના પ્રોફેસર ડૉ. ભાસ્કરન રમણે કર્યો
...આધારે કોરોના પર કાબૂ મેળવવાને લઈને સમયનો અંદાજ લગાવી શકાય છે
જો સાવધાનીથી કામ કરવામાં આવે તો કોરોનાને ચોક્કસ હરાવી શકાશે
રિપોર્ટ તૈયાર કરવા માટે લેવિટ્સ મૈટ્રિક્સ મેથેમેટિકલ ફોર્મૂલાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. મીડિયા રિપોટ મુજબ કોરોનાગ્રસ્તની સંખ્યા, મૃત્યુદર અને મૃત્યુની સંખ્યાના આધારે કોરોના પર કાબૂ મેળવવાને લઈને સમયનો અંદાજ લગાવી શકાય છે.
મુંબઈના મેયર કિશોરી પેડણેકરે જણાવ્યું હતું કે, મુંબઈમાં રિકવરી નો દર 70 ટકા થયો છે જ્યારે મૃત્યુદરમાં ઘટાડો નોંધાયો છે. જેથી 2 વીકમાં કોરોના પર કાબૂ મેળવી શકાશે. આ ઉપરાંત ગણિતના આધારે ડૉ. ભાષ્કરન રમણના જણાવ્યાનુસાર મહારાષ્ટ્રમાં 2 મહિનામાં, દિલ્હીમાં 1 મહિનામાં , ગુજરાતમાં 1 મહિનામાં અને સમગ્ર દેશમાં 2થી 3 મહિનામાં કોરોના પર કાબૂ મેળવી શકાશે.
આનો અર્થ એ નથી કે કોરોના સંપૂર્ણ સમાપ્ત થઈ જશે. રિપોર્ટ મુજબ કોરોનાને લીધે મૃત્યુદરમાં ઘટાડો, અને રિકવરી દરમાં વધારો થશે. જો સાવધાનીથી કામ કરવામાં આવે તો કોરોનાને ચોક્કસ હરાવી શકાશે.