દ્વારકાના જામખંભાળિયામાં યુવકને નિર્વસ્ત્ર ફેરવવાનો મામલે ફરિયાદ લેવામાં વિલંબ મુદ્દે રેન્જ આઇજી સંદીપ સિંઘ લાલઘુમ થયા હતા. રેન્જ આઇજીએ પોલીસકર્મી સામે કાર્યવાહીના આદેશ આપ્યા હતા. રેન્જ IG સંદીપ સિંઘે સમગ્ર પ્રકરણની તપાસ LCBને સોંપી હતી. ત્યારે આજે આ મામલે કાર્યવાહી કરવામાં આવી છે. IG સંદીપસિંધે કહ્યું કે, આ શર્મનાક ઘટના બાદ રિપોર્ટમાં બેદરકારી બહાર આવી છે.
શર્મનાક ધટના બાદ રિપોર્ટમાં બેદરકારી બહાર આવી છે: IG સંદીપસિંધ
દેવભૂમિ દ્વારકાના જામખંભાળિયામાં યુવકને નિર્વસ્ત્ર ફેરવવાનો મામલે 5 શખ્સો વિરૂદ્વ અપહરણની ફરિયાદ દાખલ કરાઇ હતી. ગૃહ વિભાગે કડક તપાસના આદેશ આપ્યા હતા. તપાસ બાદ IG દ્વારા ઈન્ચાર્જ મહિલા PI અને 9 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરાયા છે. રેન્જ IG સંદીપ સિંઘે સમગ્ર પ્રકરણની તપાસ LCBને સોંપી હતી. રિપોર્ટ બાદ ઘટનાક્રમને પગલે પોલીસકર્મીઓ સામે પગલા લેવામાં આવ્યા છે. રિપોર્ટમાં પોલીસની બેદરકારી છતી થતા કાર્યવાહી કરવામાં આવી છે. તો 2 ટ્રાફિક બ્રિગેડને પણ ફરજમુક્ત કરાયા છે.
નિર્વસ્ત્ર યુવકને ફેરવવાની ઘટના બાદ SPએ પોલીસ અધિકારોની કરી બદલી
ખંભાળીયામાં સંપૂર્ણ નગ્ન હાલતમાં શખ્સને જબરદસ્તીથી બજારમાં ફેરવવામાં આવ્યો હતો. આ બનાવ અંગે પોલીસે ભોગ બનનાર યુવાનની ફરિયાદ નોંધી હતી. જેમાં સમગ્ર વિગતો બહાર આવી હતી. આ ભોગ બનનાર યુવાને એક ફેસબુક લાઈવ કરીને ક્રિકેટના સટ્ટાના કેસના આરોપીઓ બાબત ચર્ચાઓ કરી હતી. જેનું મનદુઃખ રાખી આરોપીઓએ કાવતરું કર્યુ હતું. જેમાં શારદા સિનેમા પાસેથી યુવાનનું અપહરણ કર્યું હતું. ત્યારબાદ નગ્ન કરી શહેરમાં લઈ આવી આરોપી માણસી ભોજાણી અને કાના ભોજાણીએ મારમારી બદનામ કરવાના ઈરાદાથી નગ્ન હાલતમાં રેકોર્ડિંગ કરી વીડિયો વાયરલ કરાવ્યો હતો. તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
પોલીસે ગુનો નોંધી તમામ આરોપીઓની ધરપકડ કરી હતી
પોલીસે આ બંને ઉપરાંત તેના અન્ય ભાઈઓ ભારા જોધા ગઢવી, પ્રતાપ જોધા ગઢવી, જોધા ગઢવી, કિરીટ જોધા ગઢવી સામે વિવિધ કલમ મુજબનો ગુનો નોંધ્યો હતો અને ધરપકડ કરી હતી. આ સમગ્ર બનાવને ધ્યાને લઇને પોલીસ કાફલાએ મુખ્ય બંને આરોપી ભારા જોધા ગઢવી, કિરીટ જોધા ગઢવીને જાહેરમાં લઇને જાહેરમાં સરઘસ કાઢ્યુ હતું. હાલ આ આરોપીઓ ચાર દિવસના રિમાન્ડ ઉપર છે.