73માં સ્વતંત્ર પર્વના પાવન અવસર પર સરકાર દ્વારા ખેડૂતોની આવક બમણી કરવાના લક્ષ્યને આગળ ધપાવીને ખાતરના ભાવ ઘટાડાની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે પ્રધાનમંત્રીની જાહેરાતને ગુજરાત ભાજપના નેતાઓએ આવકારી હતી.
ભારત પોતાનો 73મો સ્વતંત્રતા દિવસ મનાવી રહ્યું છે. આ પ્રસંગે ઇફ્કો(IFFCO)એ ખેડૂતોને ગિફ્ટ આપી છે. ઇફ્કોએ DAP અને NPK ખાતરના ભાવમાં પ્રતિ બોરી 50 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે.
તમને જણાવી દઇએ કે હાલમાં કેન્દ્રની મોદી સરકારે નોન-યૂરિયા ખાતરોના ભાવમાં સ્થિરતા માટે સબસિડી વધારી દીધી છે. જેનાથી સરકારી તિજોરી પર કુલ 22 હજાર કરોડ રૂપિયાથી વધુનો બોજો પડશે.
નવો ભાવઃ ઇફ્કો તરફથી ભાવ ઘટાડાની જાહેરાત બાદ હવે NPK Iના ભાવ હવે 1250 રૂપિયા પ્રતિ બોરીથી ઘટાડીને 1200 રૂપિયા પ્રતિ બોરી પર આવી ગ્યો છે. ત્યારે NPK IIના ભાવ હવે 1260 રૂપિયાથી ઘટીને 1210 રૂપિયા પ્રતિ બોરી થઇ ગયા છે. આ પ્રકારે NPના ભાવ 1000 રૂપિયાથી ઘટીને 950 રૂપિયા પર આવી ગયો છે. આ સિવાય DAP ખાતરના ભાવ 1300 રૂપિયાથી ઘટીને 1250 રૂપિયા પ્રતિ બોરી થઇ ગયા છે.
ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીએ ભાવ ઘટાડાની કરી પ્રશંસા
ખાતરની બોરી પર રૂપિયા 50 ઘટાડો કરવા ઇફ્કોના ચેરમેન દિલીપ સંઘાણીએ પ્રધાનમંત્રીના આ નિર્ણયને ક્રાંતિકારી નિર્ણય ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે, એક માસમાં પ્રથમ રૂપિયા 100નો ઘટાડો અને આજે રૂપિયા 50નો ઘટાડો ખાતરના ભાવમાં કરીને એક હજાર કરોડ રૂપિયાની રાહત ખેડૂતોને કેન્દ્રની સરકારે કરી છે. ઇફ્કોના વાઇસ ચેરમેન દિલીપ સંઘાણીએ ખેડૂતોના હિતાર્થે થયેલા નિર્ણયને આવકાર્યો છે.
ખાતરના ભાવમાં એક મહિનામાં 150નો ઘટાડો: રૂપાલા
કેન્દ્રીય રાજ્યકક્ષાના કૃષિ પ્રધાન પુરુષોત્તમ રૂપાલાએ ભાવ ઘટાડા પર કહ્યું કે, ખેડૂતોના ઉત્પાદન ખર્ચમાં ઘટાડો, ખેડૂતોને વધુ વળતર મળે, યુરિયા પછી ડીએપી ખાતરમાં એક મહિનામાં રૂપિયા 150નો ઘટાડો ખેડૂતો માટે મોદી સરકારની ચતુર્મુખી યોજના સાબિત થશે.