ખેડુતોના હિતમાં 400 કરોડની ખોટ કરીને પણ ખેડુતોને ઓછા ભાવે ખાતર આપ્યુ, 10 યુનિટો નવા શરૂ કરી આત્મનિર્ભર બનીશું
દિલિપ સંઘાણી ઈફ્કોમા બિનહરીફ વરણી
કોરોના કાળમાં સામાજિક જવાબદારી નિભાવી
જે ખાતર આયાત થતાં હતાં તેનું અહીં ઉત્પાદન કરીશું
રાજ્યમાં રાસાયણિક ખાતરની અછત જોવા મળી રહી છે. તેમાંય ખાસ કરીને ઊતર ગુજરાતમાં રાસાયણિક ખાતરની વધારે અછત જોવા મળી રહી છે. રાસાયણિક ખાતરનો જરૂરિયાત કરતા ઓછો સ્ટોક આવતો હોવાથી તંગી સર્જાઇ છે તેવા આક્ષેપો થઇ રહ્યાં છે. ત્યારે ફરી નવનિયુક્ત થયેલા ચેરમેન દિલીપ સંધાણીએ મહત્વનું નિવેદન આપતા કહ્યું છે કે હાલમાં આયાત થતાં ખાતરનું સ્થાનિક ઉત્પાદન થશે, બાદમાં નિકાસ કરીને વિદેશી હૂંડિયામણ રળવામાં આવશે. ખેડુતોના હિતમા ૪૦૦ કરોડની ખોટ ખાઈને કરીને પણ ખેડુતોને ઓછા ભાવે ખાતર આપ્યુ છે, ઈફ્કો દુનિયામાથી કોઈપણ રીતે રો મટિયારીયલ લાવી ખેડુતોને ખાતર આપશે. રો મટેરીલયના ભાવ ૩૦૦ ડોલર હતા ડે આજે ૯૦૦ ડોલર કરતાા વધુ છે. આવનારા દિવસોમા 10 યુનિટો નવા શરૂ કરીશુ.
ખાતર ક્ષેત્રે આત્મનિર્ભરની પહેલ
સ્થાનિક લેવલે ઉત્પાદન પ્લાન્ટ સ્થાવવાથી ખેડૂતોને મોટો ફાયદો થશે અને ખરા ટાઈમે થતી ખાતરની અછતને પણ નિવારી શકાશે તેમજ ભાવ પણ સંતુલિત તેમજ વ્યાજબી રહેશે. કારણ કે હાલ ખાતર માટે પૂરેપૂરી રીતે અન્ય દેશો પર નિર્ધાર રહેવું પડે છે જેથી ગમે ત્યારે આંતરરાષ્ટ્રીય ભાવ ઉચકાય તો સીધો જ ભાવ વધારો ઝીંકી દેવામાં આવે છે. જેથી વિશ્વની સૌથી મોટી ખેડૂતલક્ષી સહકારી સંસ્થાના ચેરમેન સંઘાણીની જાહેરાત બાદ હવે અવાનાર દિવસોમાં ભારત ખાતર ક્ષેત્રે પણ આત્મનિર્ભર બનશે.
મહેસાણામાં ખાતર ખૂટી પડ્યું
મહેસાણા જિલ્લામાં યુરિયા ખાતરની અછતે ખેડૂતોને દોડતા કરી દીધા છે. આ મુદ્દે નાયબ ખેતી નિયામકે જણાવ્યું હતું કે, મહેસાણા જિલ્લામાં 12000 મેટ્રિક ટન યુરિયા ખાતરનો જાન્યુઆરી મહિનામાં સપ્લાય કરવાનો પ્લાન છે. જેની સામે અત્યાર સુધીમાં 5700 મેટ્રિક ટન જથ્થો ફાળવાયો છે. તો હાલમાં સર્જાઈ રહેલી ખાતરની અછતના કારણ જણાવતા નાયબ ખેતી નિયામક વિસ્તરણે જણાવ્યું હતું કે, મહેસાણા જિલ્લામાં રવિ પાકનો વાવેતર વિસ્તાર વધુ છે. નાઈટ્રોજન યુક્ત યુરિયા ખાતરની વધુ જરૂરિયાત હોય તેવા પાકો જેવા કે, બટાટા અને તમાકુનું વાવેતર પણ વધતા માંગ વધી છે. તો વળી, બીજા જિલ્લામાંથી મહેસાણા જિલ્લામાં પાક વેચવા આવતા ખેડૂતો પણ અહીંથી ખાતર ખરીદતા હોય છે . જેના કારણે જિલ્લામાં ખાતરની અછત સર્જાતી હોય છે.