ઘણા લોકોને હંમેશાં પગ ઠંડા હોવાની સમસ્યા રહે છે. કેટલાય સમય સુધી પગને ઢાંકી રાખવા છતાં તેમને રાહત મળતી નથી.
હંમેશા ઠંડા પગ કેમ રહે છે
રક્ત પરિભ્રમણ સુધારવુ જોઇએ
ઘરેલુ ઉપચારથી સમસ્યા થઇ જશે દૂર
ઠંડા પગ એક સામાન્ય સમસ્યા છે. આનું મુખ્ય કારણ એ હોઈ શકે છે કે તમારા પગમાં પૂરતો ઓક્સિજન પહોંચતો નથી અને રક્ત પરિભ્રમણ યોગ્ય રીતે થઈ રહ્યું નથી, જોકે ઘણી વખત રક્ત પરિભ્રમણ સુધર્યા પછી આ સમસ્યા દૂર થઈ જાય છે. તમે કેટલાક સરળ ઘરેલુ ઉપાય અપનાવીને તમારા પગમાં લોહીનું પરિભ્રમણ વધારીને તેને ગરમ રાખી શકો છો.
- જો તમારા પગ ઠંડા રહે છે તો પછી તમે પગમાં હળવા હાથે તેલથી માલિશ કરી શકો છો. રાત્રે સૂતાં પહેલાં આ મસાજ કરો. આનાથી ફાયદો થશે. ઓલિવ ઓઇલ માલિશ માટે ફાયદાકારક છે. આ સિવાય તમે નાળિયેર અને તલનું તેલ પણ વાપરી શકો છો.
- હાઈડ્રો થેરપી દ્વારા તમે પગ ઠંડા રહેવાની સમસ્યાને દૂર કરી શકો છો. આ ઉપચારમાં ઠંડા-ગરમ પાણીનો ઉપયોગ થાય છે. આ માટે તમારા પગને થોડી મિનિટો માટે ઠંડા પાણીમાં રાખો. ત્યાર બાદ પગને થોડી મિનિટો માટે ગરમ પાણીમાં રાખો. આ પ્રક્રિયા લગભગ ૧૫ મિનિટ સુધી કરો. બાદમાં પગને યોગ્ય રીતે સૂકવો અને મોજાં પહેરો.
- પગમાં લોહીનું પરિભ્રમણ સારું રહે તે માટે પગની કસરત કરો અને દરરોજ સવારે ઘાસ પર ખુલ્લા પગે ચાલો. તમને આનાથી લાભ મળશે.
- આ સિવાય પૌષ્ટિક આહાર પણ લો. કેટલીક વાર આયર્નની અછતના કારણે ઓક્સિજન શરીરના ભાગો સુધી યોગ્ય રીતે નથી પહોંચી શકતો અને પગ ઠંડા રહે છે. આવી સ્થિતિમાં આયર્નની ઊણપ દૂર થાય તેવો આહાર લો. મોસમી ફળ ખાઓ અને લીલાં શાકભાજી જેવાં પૌષ્ટિક તત્ત્વો આહારમાં લો.
- ઘણી વખત વધુ સારો આહાર શરીર સુધી ન પહોંચવો આ સમસ્યાનું કારણ હોઈ શકે છે, સાથે જ અન્ય કારણો પણ હોઈ શકે છે, જેના કારણે પગ ઠંડા રહે છે. લોહીનું પરિભ્રમણ યોગ્ય રીતે થવામાં અસમર્થતા, શરીરમાં વિટામિન-ડીની ઊણપ, લો બ્લડ પ્રેશર અને શરીરમાં લોહીનો અભાવ પણ આ સમસ્યાનું કારણ બની શકે છે
- વારંવાર ઠંડા પગના લીધે કેટલીક અન્ય શારીરિક સમસ્યા પણ થઈ શકે છે. આ સમસ્યા ડાયાબિટીસ જેવા રોગોથી પણ થઈ શકે છે. આવી સ્થિતિમાં ડોક્ટરનો સંપર્ક કરો.