રામદેવ બાબા છેલ્લા 2 દિવસથી પોતાના નિવેદનોને લઈને દેશમાં એક ચર્ચાનો વિષય બની રહ્યા છે
એલોપેથી બાદ હવે ડોકટરોનો પણ મજાક ઉડાવાતો વિડીયો થયો વાયરલ
એલોપેથી દવાને લઈને પણ આવ્યું હતું નિવેદન
સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને રામદેવને તેમનું નિવેદન પરત લેવાનું જણાવ્યું હતું
એલોપેથી બાદ હવે ડોકટરોનો પણ મજાક ઉડાવાતો વિડીયો થયો વાયરલ
આ વિડિયોમાં એવું કહેતા જણાય છે કે જો કોઈને પણ ડોકટર બનવું હોય તો તેવા લોકોને કોઈ પણ ડિગ્રીની જરૂર નથી, માત્ર તેમના જેવા બની જવાથી ડોકટર બની શકાય છે. માત્ર આટલું જ કહેતા તેઓ અટક્યાં નહીં, તેમણે સાથે એ પણ કહ્યું કે "હું તો ડૉક્ટરોનો પણ ડૉક્ટર છું." બીજા એક નિવેદનને લઈને પણ સમગ્ર મેડિકલ તબીબોએ તેમણે માફી માંગવાનું કહ્યું હતું. આ વિડિયોમાં તેઓ આગળ કહે છે કે ડોકટર પણ આ મહામારીમાં પોતાનો જીવ બચાવી નથી શકયા, જે પોતાનો જ જીવ નથી બચાવી શકતા તે દર્દીઓનો જીવ કઈ રીતે બચાવશે? તેમના આ બીજા નિવેદનના વિડીયો લઈને સમગ્ર મેડિકલ સાયન્સ રોષે ભરાયું છે.
એલોપેથી દવાને લઈને પણ આવ્યું હતું નિવેદન
હાલ મહામારીને કારણે તેઓ ઓછી સંખ્યામાં લોકોને કાર્યકર્મો પ્રવેશ આપે છે. આ કાર્યક્રમમાં જ તેમણે એલોપેથી દવા પર સવાલ ઉઠાવ્યા હતા અને તેમણે દાવો કર્યો છે કે એલોપેથી દવાના કારણે જ કોરોના દર્દીઓના મૃત્યુ થઈ રહ્યા છે. તેમણે કહ્યું કે મોંઘા ભાવના મળતા ઇન્જેક્શનો આ રોગ સામે નિષ્ફળ ગયા છે.
હાઈડ્રોક્સીક્લોરોક્વિન, રેમડેસિવિર ઇન્જેક્શનો પણ દર્દીઓ પર કોઈ અસર નથી કરતી. સાથે જ કોરોનામાં થતી અમુક સારવાર પર પણ ફેઇલ ગઈ છે.
સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને રામદેવને તેમનું નિવેદન પરત લેવાનું જણાવ્યું હતું
પત્રના અંતે સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને બાબા રામદેવને તેમનું નિવેદન પરત લેવાનું જણાવ્યું. તેમણે લખ્યું કે તમારુ એવું કહેવું કે અમારો હેતુ મોર્ડન સાયન્સ અને શ્રેષ્ઠ ડોક્ટરોની સામે નથી, પૂરતું નથી. અમે આશા રાખીએ છીએ કે તમારે ગંભીરતાપૂર્વક આનો વિચાર કરીને કોરોના યોદ્ધાઓની ભાવનાઓનું સન્માન કરીને તમારા વાંધાજનક અને દુર્ભાગ્યપૂર્ણ નિવેદનને પરત લેવું જોઈએ અને આરોગ્યમંત્રીના અનુરોધ બાદ બાબા રામદેવે શબ્દો પરત ખેંચ્યા હતા.