શું તમે જાણો છો કે ભારતના મોટા ભાગના પ્રદેશોમાં લોકો હાથથી ભોજન કરે છે, કેમ કે હાથથી ભોજન કરતાં ભોજનનો સ્વાદ અનેકગણો વધી જાય છે. એક નવા અભ્યાસમાં સંશોધકોએ આ વાતને સમર્થન આપ્યું છે. જર્નલ ઓફ રિટેલિંગમાં પ્રકાશિત આ અભ્યાસમાં જણાવાયું છે કે કાંટા-ચમચીની મદદથી ભોજન કરવાના બદલે લોકો સીધા પોતાના હાથથી જમવા લાગે તો તેમને ભોજન સ્વાદિષ્ટ લાગે છે અને તેઓ વધુ ભોજન પણ કરી શકે છે.
હાથથી ભોજન કરતાં ભોજનનો સ્વાદ અનેકગણો વધી જાય છે
જર્નલ ઓફ રિટેલિંગમાં પ્રકાશિત આ અભ્યાસમાં જણાવાયું છે
હાથ વડે જમવાથી જમવાનો સંતોષ મળે છે
અમેરિકાની સ્ટીવન્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીના સંશોધક એડ્રિયાનાએ જણાવ્યું
જે લોકો નિયમિત રીતે પોતાના ભોજનની આદતને નિયંત્રિત રાખે છે, તેઓ હાથથી ભોજનને અડે છે અને તરત જ તેમને સંતુષ્ટી મળવા લાગે છે અને તેનો સ્વાદ પણ વધેલો અનુભવે છે. સંશોધકોએ એમ પણ જણાવ્યું કે જે લોકો હાથથી ભોજન કરે છે તેઓ બીજાની અપેક્ષામાં વધુ ભોજન કરી શકે છે.
જો તમે પણ સ્વદિષ્ટ ભોજનની ઇચ્છા રાખતા હો તો ચમચીના બદલે હાથથી ભોજન કરવું જોઇએ. તેનો એક ફાયદો એ પણ છે કે તેનાથી ભોજનની બરબાદી થતી નથી.
હાથથી ભોજન કરવાના અન્ય લાભ
જ્યારે આપણે હાથથી જમીએ છે તો ગરમ ભોજનના કારણે આપણું મોં બળતું નથી. ચમચીનું તાપમાન જમવા અનુસાર બદલાય છે, જ્યારે હાથનું તાપમાન તેનો આભાસ કરી શકે છે. હાથથી જમવું સ્પર્શ ચિકિત્સા સમાન છે. તેનાથી આપણા હાથ, મોં, પેટ અને મગજની વચ્ચે એક પ્રકારનો સંબંધ બને છે. શરીરના આંતરિક સંકેતો દ્વારા જમવાનું પચે છે.
તેનાથી શરીર સુપોષિત થાય છે. હાથથી જમતી વખતે આંગળીઓ અને અંગૂઠા ભેગા થવાથી જે મુદ્રા બને છે તે કારણે શરીરમાં વિશેષ રીતે ઊર્જા ઉત્પન્ન થાય છે, જે શરીરને સ્વસ્થ રાખે છે.