હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસનો આજે 19માં દિવસે અંત આવ્યો છે..સમાજના અગ્રણીઓની સમજાવટ બાદ આખરે હાર્દિકે અગ્રણીઓના હાથે પારણા કર્યા છે. ઉપવાસનાં પારણાં કર્યા બાદ હાર્દિક પટેલે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી.
પ્રેસ કોન્ફરન્સમાં હાર્દિક પટેલે નિવેદન આપતા કહ્યું કે હું 3 માંગણીઓ સાથે નિવાસ સ્થાને ઉપવાસ પર બેઠો હતો. અલ્પેશને 3 વર્ષ બાદ ખોટા કેસમાં જેલમાં મોકલાયો. સમાજની મુખ્ય સંસ્થાઓએ વિનંતી કરી હતી. સમાજનાં આગેવાનોની પારણા કરવાની સતત માંગ હતી.
જેને લઇ આજે મેં સમાજનાં કહેવા મુજબ પારણાં કર્યાં છે. આજે મેં મારા ઉપવાસ તોડ્યાં છે. શરમ મને નહીં સરકારને આવવી જોઈએ. ખેડૂતોનાં માથે દેવું છે તેની ચિંતા સરકારને નથી. જીવીશું તો જીતીશું એ મુદ્દે મેં ઉપવાસ તોડ્યાં છે. ભાજપને ખેડૂતોનાં દેવા માફીની ચિંતા નથી.
ખાતરમાં વધારો છતાં સરકાર ચિંતિત નથી. સરકાર લોકોનાં પ્રશ્નોને લઈને ગંભીર જ નથી. પોલીસે કાયદા અને મર્યાદાની વિરૂદ્ધ જઈને કામ કર્યું છે. લોકોએ સરકારની સદબુદ્ધી માટે રામધૂન બોલાવી. આ લડાઈ લક્ઝુરીયસ કારવાળાઓ માટે નહીં ટ્રેક્ટરવાળાઓ માટે હતી.
ખેડૂતોનાં મુદ્દાઓથી ભટકાવવાનું કામ સરકારે કર્યું. અંગ્રેજો જેવું શાસન જોવું હોય તો ગુજરાતમાં આવો. અમે લોકો હિંસાનાં માર્ગે નથી. ખેડૂતોનાં મુદ્દાઓ માટે હવે હું ગામડે ગામડે જઈશ. ખેડૂતોની મુશ્કેલીઓને હું સમજી શકું છું. આ લડાઈ લોકક્રાંતિનાં માર્ગે છે. લોકક્રાંતિનાં નારા સાથે ખેડૂતોનું આહ્વાન કરૂ છું. આ અનામત કે ખેડૂતો માટેની લડાઈ નથી રહી. લોકશાહી બચાવવાની આ લડાઈ બની ગઈ છે.
ગાંધી અને સરદારનું ગુજરાત તાનાશાહી શાસનવાળું રાજ્ય બન્યું. હવે ઘરે ઘરે લોકક્રાતિનાં નારાની જરૂર છે. સરકારે સાબિત કરી દીધું છે કે પાટીદાર સમાજની તેમને જરૂર નથી. ગુજરાતનાં ખેડૂતોએ હજુ જાગૃત થવાની જરૂર છે. આંદોલન હવે દેશવ્યાપી બનશે. પાટીદાર સમાજ વધુ મજબૂત બન્યો.