મહારાષ્ટ્રને નવા મુખ્યમંત્રી મળે તો નવાઈ નહીં કારણ કે એનસીપી સુપ્રીમો શરદ પવારે સીએમ ઉદ્ધવ ઠાકરેને સલાહ આપી છે એકનાથ શિંદેને મુખ્યમંત્રી બનાવી દો.
મહારાષ્ટ્રની રાજનીતિમાં નવા સમાચાર
સીએમ ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર વચ્ચે મુલાકાત
શરદ પવારે સીએમ ઉદ્ધવ ઠાકરેને આપી સલાહ
વિદ્રોહ ઠારવા એકનાથ શિંદેને મુખ્યમંત્રી બનાવો
શિવસેના નેતા એકનાથ શિંદે બની શકે નવા મુખ્યમંત્રી
મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય ઘમાસાણ વચ્ચે સરકાર બનાવવાનું સપનું જોનાર ભાજપનો દાવ ઊંઘો પડી શકે છે કારણ કે શરદ પવારે એકનાથ શિંદેને મુખ્યમંત્રી બનાવીને વિદ્રોહની આગ ઠારવાની સલાહ આપી છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે એનસીપી સુપ્રીમો શરદ પવારને મળ્યાં હતા અને હવે શું કરવું તે મુદ્દે ચર્ચા કરી હતી. પવાર અને ઠાકરે વચ્ચે લગભગ એક કલાક સુધી બેઠક ચાલી હતી. બેઠકમાં શરદ પવારને સ્પસ્ટ કહ્યું કે વિદ્રોહ ઠારવો હોય અને સરકાર બચાવવી હોય તો એકનાથ શિંદેને મુખ્યમંત્રી બનાવી દેવા જોઈએ.
#WATCH NCP leader Supriya Sule shows thumbs up after meeting with Maharashtra CM Uddhav Thackeray in Mumbai. The meeting between NCP's Sharad Pawar and CM Thackeray lasted around an hour. #Mumbaipic.twitter.com/3LGjf279M9
કોંગ્રેસ પણ કહ્યું- એકનાથ શિંદને મુખ્યમંત્રી બનાવો
ઉદ્ધવ ઠાકરે એકનાથ શિંદેને મુખ્યમંત્રી બનાવે તેનો કોંગ્રેસનો પણ વાંધો નથી. મહારાષ્ટ્ર કોંગ્રેસ અધ્યક્ષ નાના પટોલેએ પણ કહ્યું છે અમે શિંદેને સમર્થન આપવા તૈયાર છીએ.&
#WATCH | Maharashtra CM Uddhav Thackeray comes out to greet his supporters after his meeting with NCP chief Sharad Pawar and Supriya Sule at his residence in Mumbai pic.twitter.com/dXTCO53YNa
ઉદ્ધવ ઠાકરેએ ફેસબુક પર લોકોને કર્યાં સંબોધિત
મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ફેસબુક લાઈવના માધ્યમથી મોટુ નિવેદન આપતા કહ્યુ છે કે જો એક પણ ધારાસભ્ય તેમને મુખ્યમંત્રી તરીકે જોવા તૈયાર નથી તો તેઓ રાજીનામુ આપી શકે છે.
રાજીનામું આપવા તૈયાર છું, મારી કોઇ મજબૂરી નથી
ઉદ્ધવ ઠાકરેએ કહ્યું છે કે હું રાજીનામું આપવા તૈયાર છું, મારી કોઇ મજબૂરી નથી, હું કોઇના પર નિર્ભર નથી. ભાજપ મને સતત ખરાબ કહી રહી છે. મુખ્ય પ્રધાન એમ નથી કહેતા કે તે કહેવા યોગ્ય છે. જો કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કહેશે તો હું રાજીનામું આપવા તૈયાર છું. મુખ્યમંત્રીએ પોતાના સંબોધનમાં એ વાત પર પણ ભાર મૂક્યો હતો કે ભલે તેઓ રાજીનામું આપી દે, પરંતુ તેઓ પોતાની જગ્યાએ શિવસૈનિકને મુખ્યમંત્રી તરીકે જોવા માંગે છે. તેમનું કહેવું છે કે મારી જગ્યાએ જો કોઇ શિવસેનાનો મુખ્યમંત્રી બનશે તો મને ખુશી થશે. જે લોકો નારાજ ધારાસભ્યો છે તેમણે આવીને વાત કરવી જોઈએ. હું મુખ્યમંત્રી પદ છોડવા તૈયાર છું. આ મારું નાટક નથી... હું તમારી સાથે આવવા માટે તૈયાર છું... કોની પાસે કેટલું છે તેની મને પરવા નથી. જેની પાસે સંખ્યા છે તે જીતે છે.