શુક્રવારનો દિવસ માતા લક્ષ્મીનો દિવસ ગણાય છે અને સાથે તેમની પૂજા કરવાથી તેઓ પ્રસન્ન થાય છે. શાસ્ત્રોમાં દેવી લક્ષ્મીને ધનની દેવી માનવામાં આવે છે.
શુક્રવારે ન કરો આ કામ
દેવી લક્ષ્મી થશે પ્રસન્ન
દેવી લક્ષ્મીનો છે ધન સાથે સંબંધ
હિંદુ ધર્મમાં દેવી લક્ષ્મીને ખાસ મહત્વ અપાયું છે. શુક્રવારે મા વૈભવ લક્ષ્મીની આરાધના કરાય છે. આ કારણે સુખ અને શાંતિ પણ જળવાઈ રહે છે. શાસ્ત્રોમાં માતા લક્ષ્મીને ધનની દેવી માનવામાં આવે છે. માન્યતા છે કે શુક્રવારે માતા લક્ષ્મીની પૂજા કરવાથી તેમના આર્શિવાદ બની રહે છે.
જો તમે ઘરમાં સુખ અને સમૃદ્ધિ ઈચ્છો છો તો તમારે દેવી લક્ષ્મીની આરાધના કરવાની રહે છે. તેનાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે. આ સાથે શુક્રવારે કેટલાક કામ કરવાની મનાઈ છે. તેમ કરવાથી દેવી લક્ષ્મી નારાજ થાય છે. તો જાણો કયા કામ ન કરવા.
શુક્રવારે ભૂલથી પણ ન કરશો આ કામ
કોઈને ભૂલથી પણ રૂપિયા ઉધાર ન આપો. માન્યતા છે કે શુક્રવારે આપેલું ધન ક્યારેય પાછું આવતું નથી. આ દિવસે ઉધાર લેવાથી માતા લક્ષ્મી નારાજ રહે છે અને સંબંધો પણ બગડે છે.
કોઈનું અપમાન ક્યારેય ન કરવું પણ શુક્રવારે જો મહિલા, કન્યા કે કિન્નરનું અપમાન કરાય છે તો દેવી લક્ષ્મી નારાજ થાય છે. આ દિવસે કોઈને અપશબ્દો ન બોલાય તેનું ખાસ ધ્યાન રાખો.
શુક્રવારે માંસાહાર કે નશીલા પદાર્થોનું સેવન ટાળો. આ દિવસે સાત્વિક ભોજન કરવું. શક્ય હોય તો તમારી આ આદત બદલી લો.
શુક્રવારે કોઈને ખાંડનું દાન ન આપો. ખાંડનો સંબંધ શુક્ર અને ચંદ્ર સાથે હોય છે. શુક્ર ભૌતિક સુખનો સ્વામી છે. ખાંડના દાનથી શુક્ર નબળો બને છે અને આર્થિક સ્થિતિ પણ નબળી બને છે.
શુક્રવારે માતા લક્ષ્મીની સાથે નારાયણની પૂજા કરી લેવી. લક્ષ્મી સાથે નારાયણની પૂજાથી દેવી દેવતાઓ પ્રસન્ન થાય છે અને બંનેનો આર્શિવાદ બની રહે છે. શક્ય હોય તો સવાર સાંજ કોઈ એક સમયે ઘરમાં ગળ્યું ખાવાનું બનાવો અને તેને સૌ પહેલાં ઘરની કોઈ મહિલા કે કન્યાને આપો.
કહેવાય છે કે ચોખ્ખી રસોઈમાં દેવી લક્ષ્મીનો વાસ રહે છે. આ માટે ક્યારેય રાતે કિચન સાફ કર્યા વિના સૂવું નહીં. એંઠા વાસણ રાખવાથી પણ દેવી લક્ષ્મી નારાજ થાય છે.