તમે બાળપણમાં ઘણી વખત સ્કૂલ માટે સ્પ્રાઉટ્સ જરૂર બનાવ્યા અને ખાધા હશે. સ્પ્રાઉટ્સ સ્વાદ માટે તો ખવાય જ છે સાથે સાથે એ સ્વાસ્થ્ય માટે પણ ગુણકારી હોય છે. સ્પ્રાઉટ્સ ખાવાથી શરીરને વિટામીન મિનરલ અને પ્રોટીનનું ખૂબ જ સારું લેવલ મળે છે જેનાથી શરીરને એનર્જીની સાથે જ રોગપ્રતિરોધક ક્ષમતા પણ વધે છે.
તમે વારંવાર વાંચ્યુ કે સાંભળ્યુ હશે કે સ્પ્રાઉટ્સ ખાવા હેલ્થ માટે સારા છે. સ્પ્રાઉટ્સ એટલે ફણગાવેલા કઠોળ. ફણગાવેલા ધાન્ય સુપાચ્ય બને છે અને હેલ્થને અઢળક લાભ આપે છે. સ્પ્રાઉટ્સ સુપરફુડ છે. સવારના બ્રેકફાસ્ટમાં કે ઇવનિંગ સ્નેક્સમાં ફણગાવેલા કઠોળનો ઉપયોગ કરવાથી ઓછી કેલરીમાં વધુ પોષણ મળે છે. શિયાળામાં વધુ ભુખ લાગતી હોય એટલે આચરકુચર અને અનહેલ્ધી ફુડ ખાઇ લેવાની શક્યતાઓ વધી જાય છે. જો આવા સમયે સવારના નાસ્તામાં સ્પ્રાઉટ્સ ખાવામાં આવે તો પેટ લાંબા સમય સુધી
ભરાયેલુ રહે છે અને શરીરને ધીમે ધીમે એનર્જી મળતી રહે છે.
રોગપ્રતિકારક શક્તિ વધે છે
સાદા ધાન્ય અને કઠોળને ફણગાવવાથી તેમા રહેલા પોષકતત્વોનુ પ્રમાણ વધે છે. ખાસ તો આયર્ન સુપાચ્ય બને છે એટલે લોહીમાં હિમોગ્લોબિન વધે છે અને રોગપ્રતિકારક શક્તિ સુધરે છે.
હાર્ટની હેલ્થ સુધરે છે
ફણગાવવાથી ધાન્ય અને કઠોળ ફુલે છે. તેમાં રહેલુ ફાઇબર સોલ્યુબલ બને છે અને સરળતાથી પચે છે. ખોરાકમાં ફાઇબરનું પ્રમાણ યોગ્ય જળવાય તો રક્તવાહિનીઓમાં કોલેસ્ટ્રોલની જમાવટ થઇને સાંકડી-કડક થવાની સંભાવના ઘટે છે.
ત્વચા અને વાળની સુંદરતા વધે છે
અંકુરિત ધાન્ય અને કઠોળમાં રહેલા પ્રોટીન, વિટામીન્સ અને મિનરલ્સનો મેક્સીમમ ફાયદો મળતો હોવાથી વાળ અને ચામડી સ્વસ્થ રહે છે.
બાળકના વિકાસમાં ઉત્તમ
નાના બાળકોના હાડકા અને સ્નાયુઓનો વિકાસ થઇ રહ્યો હોય ત્યારે સ્પ્રાઉટ્સથી ગ્રોથ માટે જરુરી પોષણ પણ મળે છે.
સ્પ્રાઉટ્સમાંથી શું બની શકે
ઘઉં, જુવાર, બાજરી, જવ, નાચણી, સોયાબીન અને મેથી ઉપરાંત મગ, મઠ, ચોળા, ચણા, રાજમા, વાલ અને અડદને ફણગાવી શકાય છે. આખા સ્પ્રાઉટ્સમાંથી સલાડ, ભેળ, ખીચડી અને તેના લોટમાંથી રાબ, સુપ, રોટલી, થેપલા અને ચિલ્લા બનાવી શકાય છે.