હિન્દુ ધર્મમાં 33 કરોડ દેવી દેવતાઓનું પુજન કરવામાં આવે છે. દરેક દેવતા પોતાના અદ્વિતિય ગુણોના કારણે પોતાના ભક્તોના પ્રિય બની જાય છે.
જીવનમાં દરેક પરિસ્થિતિનો હસીને સામનો કરો
ભગવાન ગણેશ શીખવશે જીવન જીવવાની રીત
ક્યારેય હાર ન માનવી અને પ્રયત્ન કરતાં રહેવું
સામાન્ય રીતે આપણે ભગવાનની પૂજા-આરાધના કરીએ છીએ પરંતુ તેમની અંદર રહેલા ગુણોને જોતા નથી. ભગવાન ગણેશનું જીવન આપણને સફળતાનો મંત્ર આપે છે. કોઇ પણ કામની શરૂઆત ભગવાન ગણપતિની પૂજાથી આરંભ થાય છે. જો ગણેશજીના આ ગુણ જીવનમાં ઉતારશો તો ક્યારેય નિષ્ફળતા નહી મળે.
દરેક પરિસ્થિતિમાં ખુશ રહેવું
ભગવાન ગણેશના જીવનમાંથી સૌથી મોટી વાત શીખવા જેવી તે છે કે જીવનમાં હંમેશા ખુશ રહેવું જોઇએ. ગમે તેવી પરિસ્થિતિ હોય પરંતુ ખુશ રહેવાનો જ પ્રયત્ન કરવો જોઇએ જેનાથી ખરાબ સમય પણ આસાનીથી નીકળી જશે.
ધીરજ રાખવી
ગણેશજીનો બીજો સૌથી મોટો ગુણ છે ધીરજ. તે કોઇ પણ ખરાબ પરિસ્થિતિમાં પોતાની ધીરજ નથી ગુમાવતા. ધીરજ જ જીવનમાં સફળતાની ચાવી સાબિત થાય છે. આપણા જીવનમાં થોડો ખરાબ સમય આવે તો આપણે ધૈર્ય ગુમાવી બેસીએ છીએ.
શાંતચિત્ત રહેવું
ભગવાન ગણેશના જીવનો ત્રીજો ગુણ છે શાંત રહેવું. શાંત મનથી આગળ વધવાના વિચાર કરવા જોઇએ. મન ત્યારે જ સાચો નિર્ણય કરી શકે છે જ્યારે તે શાંત હોય છે.
વિવેકશીલ રહેવું
પ્રથમ આરાધ્યના જીવનમાંથી શીખવા જેવી સૌથી મહત્વની વાત છે કે વિવેકથી દરેક સાથે વાત કરવી. સફળતા તમને કોઇ શોર્ટકટથી નથી મળતી. ભગવાન ગણેશના આ ગુણોને જીવનમાં ઉતારી લેશો તો તમને સફળતા મળીને જ રહેશે.