હાલ લગનની સિઝન જામી છે પરંતુ કેટલાક યુવક કે યુવતી હોય અને તેના લગ્નની વાત કોઈ કારણોસર આગળ ન વધતી હોય તો શક્ય છે કે તેની કુંડળીમાં વિવાહના યોગ ન બનતા હોય.
લગ્નમાં કોઇપણ કારણોસર અડચણ આવે છે?
શિવ અને પાર્વતીની પૂજા કરવાથી થશે ફાયદો
ઓપલ રત્ન ધારણ કરવાથી અડચણો થશે દૂર
તો ક્યારે અન્ય કોઇ કારણોસર પણ લગ્ન થતાં ન હોય ત્યારે કેટલાક ઉપાય કરવાથી લગ્નમાં આવી રહેલી અડચણ દૂર થશે.
શિવ અને પાર્વતીની પૂજા કરવી
વિવાહ ઇચ્છુક યુવક કે યુવતિએ દરરોજ મંદિર જઇને શિવ-પાર્વતીની પૂજા કરવી જોઇએ. એવું કરવાથી લગ્નમાં અડચણ લાવતા ગ્રહો દૂર થશે. શિવ પુરાણ અનુસાર, ભગવાન શિવે માતા પાર્વતીની તપસ્યાથી પ્રસન્ન થઇને તેમને પત્ની સ્વરૂપે સ્વીકાર્યા હતા. માટે ભગવાન શિવ અને પાર્વતીના પૂજા કરવાથી લગ્નમાં આવી રહેલી અડચણો દૂર થશે.
કન્યાએ આ વ્રત કરવું
કન્યાએ શિવ જેવા પતિની પ્રાપ્તિ માટે 16 સોમવારનું વ્રત કરવાથી ફાયદો થાય છે. આ વ્રત શ્રાવણના પ્રથમ સોમવારથી શરૂ કરવું જોઇએ. ધ્યાન રાખો કે શિવજીની પૂજામાં ગંગાજળ અને ભસ્મ અર્પણનું વિશેષ મહાત્મય છે. તેમની કૃપાથી તમામ અડચણ દૂર થશે.
સપ્તમેશની પૂજા કરવાથી પણ થશે ફાયદો
કુંડળીમાં સપ્તમેશ વિવાહનો ભાવ છે. જ્યારે પાંચમા ભાવના સ્વામી ચંદ્રદેવ સ્થિત હોય અને સપ્તમ ભાવના સ્વામી સપ્તમ ભાવમાં સ્થિત હોય ત્યારે લગ્નના યોગ બને છે.
આ રત્ન ધારણ કરવું જોઇએ
ઘરમાં ઝડપથી મંગળ કાર્ય શરૂ થાય તે માટે ઓપલ(સ્ફટિક) ધારણ કરવો જોઇએ. આ રત્ન ધારણ કરવાથી લગ્નમાં આવતી અડચણો દૂર થશે. જેમના લવ મેરેજ છે તેણે પણ આ રત્ન ધારણ કરવાથી ફાયદો થાય છે અને શુક્ર ગ્રહ વધુ પ્રબળ બને છે.
આ મંત્રનો જાપ કરવાથી યુવકને થશે ફાયદો
જો યુવકોને લગ્ન સંબંધી સમસ્યા નડતી હોય તો તેમણે पत्नीं मनोरमां देहि मनोवृत्तानुसारिणीम्। तारिणीं दुर्गसंसारसागरस्य कुलोद्भवाम्।। આ મંત્રનો દરરોજ જાપ કરતા રહેવું જોઇએ. જેથી લગ્નમાં આવતી તમામ બાધાઓ દૂર થઈ જશે અને થોડા જ સમયમાં સુંદર અને સુયોગ્ય પત્ની પ્રાપ્ત થશે.