અનલોક-2 શરૂ થઇ ચૂક્યું છે. કોરોના કાળ લાંબો ચાલવાનો છે એમ વિચારીને સરકારે હવે તમામ વસ્તુમાં થોડી છુટછાટ આપી દીધી છે, પરંતુ આ છુટછાટનો ઉપયોગ કરતા પહેલાં થોડું ધ્યાન રાખવું જરૂરી છે. રેસ્ટોરાંનુ જમવા માટે તરસી ગયેલા લોકો ખુશ થઇ રહ્યા છે. તમારી બેદરકારી તમને ભારે પડી શકે છે એ વાત યાદ રાખવી પણ એટલી જ જરૂરી છે. તમે તમારી ફેવરિટ રેસ્ટોરાંમાં જમવાનું પ્લાનિંગ કરી રહ્યા હોય તો સતર્ક રહેજો. માત્ર માસ્ક લગાવવો, સ્વચ્છતા અને સોશિયલ ડિસ્ટન્સિંગ તપાસની સુરક્ષાના પેરામિટર્સ નથી. રેસ્ટોરાંમાં અન્ય જોખમ પણ હોય છે, જે તમને વાઇરસના શિકાર બનાવી શકે છે.
બહાર જમવુ બની શકે છે ખતરનાક
કોરોનાકાળમાં બહાર જમવાનુ ટાળો
કેટલાય લોકો દ્વારા અડેલો સામાન
ભલે તમે રેસ્ટોરાંમાં તમારા હાથને સેનેટાઇઝર કરીને અંદર જતા હોવ અને દરવાજાને ટચ ન કરતા હો, પરંતુ રેસ્ટોરાંના ફર્નિચર, કટલરી, મેન્યુકાર્ડ, ટેબલક્લોથ, નેપકીન વગેરે જેને ઘણા લોકો અડ્યા હોય છે. જો તેમનામાં આ વાઇરસ આવ્યો તો તમારી ત્રણ મહિનાની મહેનત ખતરામાં પડી શકે છે.
કોરોનાનાં છુપાયેલાં જોખમ
તાજેતરમાં ભારત ઉપરાંત અન્ય દેશોમાં ૮૦ ટકા એવા કેસ આવ્યા છે. જેનામાં કોરોના વાઇરસનાં લક્ષણો દેખાતાં ન હતાં. આવા સંજોગોમાં જાણતા અજાણતા તમે તેમના સંપર્કમાં આવો તો તે વાઇરસ તમારા સંપર્કમાં પણ આવી શકે છે.
અજાણ્યા લોકોના સંપર્કમાં આવવું
કોરોના વાઇરસથી બચવા માટે લોકોથી કમસેકમ છ ફુટનું અંતર રાખવું જરૂરી છે, પરંતુ રેસ્ટોરાંમાં વેઇટર તમારી પાસે આવશે જે તમને ખતરામાં મૂકી શકે છે. આવા સંજોગોમાં ટેકઆઉટ કે હોમ ડિલિવરીનો વિકલ્પ પસંદ કરવો બહેતર છે.
જાહેર સ્થળો પર એસીથી સાવધાન
સંશોધકોના જણાવ્યા મુજબ વાઇરસના એરોસોલ એવા વાતાવરણમાં હવામાં હોઇ શકે છે. જે એસીની હવા દ્વારા તમને ટાર્ગેટ કરતા હોય. આવા સંજોગોમાં એસી બંધ રહે તેજ ઉત્તમ છે. જે રેસ્ટોરાંમા એસી ચાલતું હોય ત્યાં ન જાવ.
ફૂડ નિયમોનુ પ્રોપર પાલન
કોઉ પણ રેસ્ટોરાં એ વાતની ગેરંટી આપતુ નથી કે ત્યાંના બધાજ વર્કર્સ નિયમોનું યોગ્ય પાલન કરે છે કે નહીં. જો એક પણ કોરોના પોઝિટિવ કર્મચારી તાપમાનની તપાસ કરાવાથી ચુકી ગયો હોય તો વિચારો શું થશે.