સ્વસ્થ રહેવું કોને ન ગમે. સ્વસ્થ શરીર સ્વસ્થ મનની ભેટ આપે છે. એટલે જ કહેવાય છે હેલ્થ ઇઝ વેલ્થ અને પહેલું સુખ તે જાતે નર્યા. તો કેટલીક નાની નાની એવી આદતો છે જે અપનાવવાથી તમે સ્વસ્થ રહી શકો છો.
સ્વસ્થ રહેવું કોને ન ગમે. સ્વસ્થ શરીર સ્વસ્થ મનની ભેટ આપે છે. એટલે જ કહેવાય છે હેલ્થ ઇઝ વેલ્થ અને પહેલું સુખ તે જાતે નર્યા. તો કેટલીક નાની નાની એવી આદતો છે જે અપનાવવાથી તમે સ્વસ્થ રહી શકો છો.
દર એક કલાક બાદ પાંચ મિનિટ વોક લો
તાજેતરના સંશોધનમાં સામે આવ્યુ છે કે લાંબા સમય સુધી બેસી રહેવું આરોગ્ય માટે સારું નથી. એમેરિકાની ઇંડિયાના યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ કરેલા એક મહત્ત્વના સંશોધનમાં સામે આવ્યુ છે કે લાંબા સમય સુધી બેસીને ઓફિસ વર્ક કરનાર લોકો જલ્દી મોતને ભેટે છે. તેનું નિદાન પણ જણાવ્યુ કે એક કલાક સતત બેઠા બાદ કમસે કમ પાંચ મિનિટ ફરવું કે ચાલવું જોઇએ. તેનાથી પગની ધમનીઓમાં ફ્લેક્સીબીલીટી જળવાયેલી રહેશે.
વર્કિંગ ટેબલ પર રાખો ડિસઇન્ફેક્ટીંગ વાઇપ્સ
યુનિવર્સીટી ઓફ એરિઝોના, અમેરિકાના વૈજ્ઞાનિકોએ જાણ્યુ કે માત્ર ચાર-પાંચ કલાકમાં જ ટેબલ ટોપ, દરવાજાના હેન્ડલ કે પછીવારંવાર સ્પર્શ થતી આવી અન્ય જગ્યાઓ પર સારી એવી સંખ્યામાં બેક્ટેરિયા જોવા મળે છે. આવા સંજોગોમાં તેને સાફ કરતા રહેવું આરોગ્ય માટે ફાયદાકારક હશે. રોજ સવારે ઉપયોગ પહેલા ટેબલ, કોમ્પ્યુટર કી બોર્ડ, મોબાઇલ સ્ક્રીન, ડ્રોઅરનું હેન્ડલ સાફ કરી લેવું હેલ્ઘી રહેશે. 99 ટકા બેક્ટેરિયા ખતમ થઇ જશે.
એકાગ્ર થઇને અડધો કલાક રીડિંગ કરો
મનોવૈજ્ઞાનિકોનું કહેવું છે કે દરેક વ્યક્તિએ રોજ કમ સે કમ અડધો કલાક કોઇ ઉપયોગીકે પ્રેરક પુસ્તકનું વાચન કરવું જોઇએ. આ દરમિયાન મોબાઇલ ફોન કોલ, વોટ્સએપ, ફેસબુક, ઇમેલ વગેરે પણ એટેન્ડ ન કરવા જોઇએ. રિડીંગ એકાગ્ર ચિત્તે કરવું જોઇએ.
ટીવી જોવાનો ટાઇમ ઘટાડો
જેમ જેમ ઉંમર વધે છે તેમ તેમ વ્યક્તિની ટીવી જોવાની આદત પણ વધે છે. એક સર્વે મુજબ 30થી 40 વર્ષના લોકો સરેરાશ પાંચ કલાક ટીવી જોવે છે. જ્યારે 50થી 60 વર્ષના લોકો છ કલાક ટીવી જોવે છે. 65 પ્લસ લોકો 6 કલાકથી વધુ પણ ટીવી જોવે છે. તે ડાયાબીટીસનું કારણ પણ બની શકે છે.