ખોરાક દરેક વ્યક્તિની મુળભુત આવશ્યકતા છે, પરંતુ તેનો અર્થ એ નથી કે માત્ર પેટ ભરવા માટે ખાવુ જોઇએ. આપણે જે પણ ખાઈએ છીએ તેની ગહેરી અસર આપણા સ્વાસ્થ્ય અને શારીરિક તેમજ માનસિક કાર્યક્ષમતા પર પડે છે. આજ કારણ છે કે આપણા શાસ્ત્રોમાં ભોજનના કેટલાક નિયમો જણાવાયા છે. આજે લોકો સ્વાદ માટે ખાવાનું પસંદ કરે છે, તેથી આરોગ્ય સંબંધિત સમસ્યાઓ અને રોગો વધ્યા છે. સ્વાદ માટે ખાવાથી વ્યક્તિ તેની ખાણીપીણીમાં એવો આહાર સામેલ કરી લે છે જે તેના સ્વાસ્થ્ય માટે યોગ્ય નથી. જો તમે આવી કેટલીક વસ્તુઓથી દુર રહેતા શીખી જશો તો તમે હેલ્ધી રહી શકશો
આપણે જે પણ ખાઈએ છીએ તેની ગહેરી અસર આપણા સ્વાસ્થ્ય અને શારીરિક તેમજ માનસિક કાર્યક્ષમતા પર પડે છે
આજે લોકો સ્વાદ માટે ખાવાનું પસંદ કરે છે, તેથી આરોગ્ય સંબંધિત સમસ્યાઓ અને રોગો વધ્યા છે
જો તમે આવી કેટલીક વસ્તુઓથી દુર રહેતા શીખી જશો તો તમે હેલ્ધી રહી શકશો
ફુડ કલર-કૃત્રિમ રંગ
ઘણીવાર ભોજનને આકર્ષક દેખાડવા માટે ફુડ કલરનો ઉપયોગ કરવામાં આવે છે. તેનો ઉપયોગ બજારના ભોજનમાં તો થાય જ છે, સાથે સાથે કેટલાક લોકો ઘરે પણ તેનો ઉપયોગ કરે છે. રાસાયણિક તત્વો યુક્ત આ ભોજનના ઉપયોગથી અનેક પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓ ઉભી થાય છે. પેટની સમસ્યા, પ્રજનન અંગો પર વિપરીત પ્રભાવ, કેન્સર અને ટ્યુમરનો સામનો કરવો પડે છે. જો તમે તમારા આહારને સારો રંગ આપવા ઇચ્છતા હો તો કૃત્રિમ રંગોના સ્થાને ઘરે જ પ્રાકૃત્રિક વસ્તુઓના રંગ બનાવો. જેમકે ટામેટાંમાંથી લાલ રંગ, બીટમાંથી લાલ રંગ, પાલકનો ગ્રીન રંગ, બ્લુબેરીનો નીલો રંગ.
કૃત્રિમ મીઠાસ
ખાંડને ધીમુ ઝેર માનવામાં આવે છે, તેથી આજકાલ ઘણા લોકો પોતાને તંદુરસ્ત રાખવા માટે કૃત્રિમ મીઠાસનો ઉપયોગ કરે છે. તે પણ સ્વાસ્થ્ય માટે હાનિકારક જ છે. આજકાલ શુગર ફ્રીની મીઠાઇઓ કે શુગર ફ્રી વાળી ચા પીવી જાણે કે ફેશન બની ગઇ છે. કદાચ તમને જાણીને નવાઇ લાગશે કે શુગર ફ્રી ગોળીઓ ડાયાબિટીસ, હાઇ બ્લડ પ્રેશર, હ્રદય રોગો અને વજન વધવાનુ કારણ બને છે. તે પાચન ક્રિયા પર પણ વિપરીત અસર કરે છે. તમે આવી કૃત્રિમ મીઠાસના બદલે પ્રાકૃતિક મીઠાસનો રસ્તો અપનાવી શકો છો. ગોળ અને મધને તમારા ડાયેટમાં સામેલ કરો. નેચરલ વસ્તુઓમાંથી મીઠાસ મેળવવાનો પ્રયાસ કરો. ફળોનો રસ પીતા હોય તો તેમાં કોઇ મીઠાસનો પ્રયોગ ન કરો
સોડિયમ નાઇટ્રેટ
સોડિયમ નાઇટ્રેટ એક પ્રકારનુ ધીમુ ઝેર છે. તેનો ઉપયોગ ભોજનને લાંબો સમય પ્રિઝર્વ કરવા માટે થાય છે. તેના વધુ પડતા સેવનથી કોલોરેક્ટલ કેન્સર, લ્યુકેમિયા, હ્રદય રોગ, થાઇરોઇડ અને કેન્સર જેવી શક્યતાઓ વધી જાય છે. જે ખાદ્ય પદાર્થોમાં પ્રાકૃતિક રીતે સોડિયમ નાઇટ્રેટ હોય છે તેમાં વિટામીન સી પણ મળી આવે છે. તેથી બિમારીઓ થતી નથી. પાલક, મુળા, ગાજર, કોબીજ, બીટ, અજમો આ બધામાં પ્રાકૃતિક રીતે સોડિયમ નાઇટ્રેટ હોય છે. તેનાથી કોઇ નુકશાન થતુ નથી. તેથી પ્રોસેસ્ડ ફુડથી દુર જ રહો
બીપીએ
બિસ્ફેનોલ-એ(બીપીએ) એક રસાયણ છે ઘણા ખાદ્યપદાર્થો અને પીણાંના પ્લાસ્ટિક કન્ટેનરમાં મળી આવે છે. મુખ્ય રીતે પાણીની પેક્ડ બોટલ, પેકેટ ફુડ, કેન આઇટમમાં તે મળી આવે છે. શરીરમાં બીપીએનું પ્રમાણ વધી જાય તો ઘણી બિમારીઓ થઇ શકે છે. બીપીએ ફ્રી બોટલ અને કન્ટેનર્સ તેમજ મોટાભાગે અનપ્રોસેસ્ડ ફુડ લો.