આજકાલ ઘણાં લોકો ઓછાં મરચાં-મસાલાવાળી ડાયટ ફોલો કરે છે. પણ એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે, લાલ મરચું નિયમિત ખાવાથી આયુષ્ય વધે છે અને કસમયે મોતનો ખતરો પણ દૂર થાય છે. સંશોધન મુજબ, જે લોકો લાલ મરચાનું વધુ સેવન કરે છે એ લોકોમાં બીમારીઓ થવાનો ખતરો ઓછો થઈ જાય છે. વૈજ્ઞાનિકોએ લાલ મરચામાં રહેલાં તેજ અને તીખા ગુણોને શરીર માટે લાભકારક ગણાવ્યા છે.
બોડીમાં ગ્લુકોઝ લેવલને નિયંત્રણમાં રાખે છએ
વૈજ્ઞાનિકો મુજબ લાલ મરચું શરીરમાં ગ્લુકોઝ લેવલને કંટ્રોલમાં રાખે છે અને ટ્યૂમરની સાથે શરીરમાં સોજા ઓછાં કરવામાં પણ મદદ કરે છે. એક સંશોધન વૈશ્વિક સ્તર પર લગભગ 57 હજાર લોકોના સ્વાસ્થ્ય અને આહારના આધાર પર કરવામાં આવ્યો છે પરંતુ જોકે, આમાં પરિણામ સારાં નથી મળ્યા, કારણ કે વ્યક્તિગત શોધકર્તાએ એ માહિતી આપવી પડશે કે કયા પ્રકારનું મરચું આવી સુરક્ષા પ્રદાન કરે છે અને કેટલી માત્રા શરીર માટે લાભકારી છે.
શોધકર્તાઓ મુજબ, લોકડાઉનમાં મોટાભાગના લોકો ઘરે જ ભોજન પકાવી રહ્યાં છે. જેથી આવા સમયે મરચું વધારે ખવાઈ રહ્યું છે. લોકડાઉન એ સારી આદતો બનાવવા માટેનો સારો સમય છે.
ભોજનનો વધે છે સ્વાદ
વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે, ભોજનમાં તાજા, સૂકા મરચાં અને કાળા મરી સ્વાદને પણ વધારે છે. વૈજ્ઞાનિકો મુજબ વધુ પ્રમાણમાં મીઠું ખાવાથી બીપી અને હાર્ટના વિકારો વધે છે. વૈજ્ઞાનિકોએ રેડીમેડ ચિલી સોસ અને મિક્સ મસાલાઓનું સેવન ન કરવાની સલાહ આપી છે. તેમનું કહેવું છે કે તેમાં સોડિયમની માત્રા વધુ હોય છે, જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. આ સિવાય સંશોધનના પ્રમુખ લેખકે કહ્યું લાલ મરચાનું નિયમિત સેવન શરીરમાં ઘણી બીમારીઓ જેમ કે હાર્ટ અને કેન્સરના જોખમને પણ ઓછું કરવામાં મદદ કરે છે.