મોટાભાગના લોકો શરીરને ડિટોક્સ કરવા માટે લીંબૂનો ઉપયોગ કરે છે. પરંતુ એનાથી શરીરમાં રહેલા ઘણા બધા પોષકતત્વો પણ ઓછા થઇ જાય છે. જેના કારણે નબળાઇ અનુભવવા લાગે છે. એવા સમયે તમે ડોક્ટરની સલાહ જરૂરથી લો.
જ્યારે તમે જમવામાં લીંબૂના રસનો ઉપયોગ કરો છો તો તેમાં દાંતની ઉપરની તરફ નુક્સાન થાય છે. આ સમસ્યાથી બચવા માટે જ્યારે પણ લીંબૂથી બનાવેલું કોઇ પણ પીણું પીવો તો સ્ટ્રોનો ઉપયોગ કરો. એનાથી લીંબૂ દાંતને નુકસાન પહોંચાડશે નહીં.
જો તમને કોઇ પણ પ્રકારની એલર્જીની સમસ્યા હોય તો લીંબૂના રસનો વધાપે પ્રયોગ કરશો નહીં એનાથી એલર્જીની સમસ્યા વધી જાય છે.
લીંબૂના રસનો વધારે પડતો ઉપયોગ છાતીમાં બળતરાની સમસ્યા પેદા કરે છે.
લીંબૂ પાણીના વધારે પડતાં સેવનથી શરીરમાં પાણીની ખામી થઇ શકે છે. એમાં શરીરમાં યૂરિન જરૂરિયાત કરતાં વધારે બનવા લાગે છે. લીંબૂનો રસ કિડનીમાં યૂરિનનું પ્રામણ વધારવા લાગે છે. જેનાથી સોડિયમ અને પાણી નિકળવા લાગે છે.
જો તમે જરૂરિયાત કરતાં વધારે લીંબૂ પાણી પીવો છો તો તેનાથી પેટ ખરાબ થઇ શકે છે. લીંબૂ એસિડનું સ્તર બનાવી રાખે છે. જેનાથી જમવાનું સરળતાથી પચી જાય છે. પરંતુ એવું જરૂરી નથી કે દરેક વખત ફાયદાકારક હોય. પરંતુ જો તેનું સ્તર વધી ગયું તો તેનાથી પેટમાં દુખાવો પણ થઇ શકે છે.