કોરોના વાયરસની બીજી લહેરનો કહેર ભારતમાં વરસી રહ્યો છે. હોસ્પિટલમાં આઇસીયુમાં બેડ, ઓક્સિજન અને દવાઓની અછતના કારણે લોકોના મૃત્યુ થઇ રહ્યાં છે.
વિચાર્યા વગર ન લેવી દવા
કોરોના વાયરસ ફેલાશે ઝડપથી
રણદીપ ગુલેરિયાએ આપી ચેતવણી
ડૉક્ટર્સ પણ આવા માહોલમાં સેલ્ફ આઇસોલેશનમાં પોતાનો ઇલાજ કરવાની સલાહ આપે છે પરંતુ ઘણા લોકો જલ્દી રિકવરીના ચક્કરમાં દવાઓ કે સ્ટેરોઇડનો ઓવરડોઝ લઇ લેતા હોય છે. તે ખતરનાક સાબિત થાય છે.
નવી દિલ્હી સ્થિત એમ્સના ડાયરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયાએ કહ્યું છે કે, સિસ્ટમેટિક સ્ટેરોઇડના ઓવરડોઝથી રોગીઓને નુકસાન થઇ શકે છે. ખાસ કરીને જ્યારે બિમારીના શરૂઆત સ્ટેજમાં કરવામાં આવે છે. તેનાથી ફેફસા પર પણ ખરાબ અસર પડે છે. તેમણે કોવિડ ઇંજેક્શન દરમિયાન દવાઓના ઉપયોગને લઇને ચેતવ્યા છે.
ગુલેરિયાએ કહ્યું કે, લોકોને લાગે છે કે રેમેડિસિવિર અને તમામ પ્રકારના સ્ટેરોઇડ મદદ કરશે પરંતુ લોકોને તે નથી ખ્યાલ કે તેની જરૂર હંમેશા નથી રહેતી. આ પ્રકારની દવાઓ માત્ર ડૉક્ટર્સની સલાહ પર જ આપવામાં આવે છે.
ડૉ. ગુલેરિયાએ કહ્યું કે, કોવિડના 2 સ્ટેજ હોય છે. પહેલા જ્યારે શરીરમાં વાયરસ ફેલાયાના કારણે કંજેશન કે તાવની સમસ્યા થાય છે. ઘણીવાર વાયરસ ફેફસામાં ફેલાવા લાગે છે અને ઓક્સિજન લેવલ અચાનક ઘટવા લાગે તો એન્ટી વાયરલ ડ્રગ આપવામાં આવે છે.
બીજા ચરણમાં ઇમ્યૂન સિસ્ટમ કામ કરવાનુ બંધ કરી દે છે અને બોડીમાં ઇન્ફ્લેમેટરી રિએક્શન વધવા લાગે છે. આ તે જ સમય હોય છે જ્યારે રોગીના શરીરને સ્ટોરોઇડની જરૂર હોય છે. જો આ શરૂઆતના સ્ટેજમાં જ ખબર પડે તો ઇલાજ થઇ શકે છે.
કોરોના સંક્રમણ થવા પર લોકો તરત સિટીસ્કેન કરાવી રહ્યા છે. જેનાથી તેની કિંમતમાં પણ વધારો થયો છે. તે વિશે પણ ગુલેરિયાએ કહ્યું કે, શરૂઆતમાં સીટી સ્કેન કરવાનો કોઇ ફાયદો નથી. તેમાં રેડિએશન વધી જાય છે અને કેન્સરનો ખતરો વધી જાય છે.