ટ્વિટર પર લોકોને ગેરમાર્ગે દોરતી અથવા ખોટી માહિતીને રોકવા 5 માર્ચ, 2020 થી નવું ફિચર આવી રહ્યું છે. ટવિટરના જણાવ્યા અનુસાર તે ટૂંક સમયમાં તેના પ્લેટફોર્મ પર ટ્વીટ્સ લેબલ લગાવવાનું શરૂ કરશે. તે 'ભ્રામક અથવા ખોટી માહિતીને ઓળખશે. લોકોને ખોટી માહિતી આપતી આવી ટ્વીટ્સને દૂર કરવા પગલાં પણ લેવામાં આવશે. આ સિવાય, તે આ પ્રકારની ટ્વિટ રિટવિટ કરતાં પહેલા યુઝર્સને ચેતવણી પણ આપશે.
ટ્વિટર પર લોકોને ગેરમાર્ગે દોરતી અથવા ખોટી માહિતીને રોકવા 5 માર્ચ, 2020 થી નવું ફિચર આવી રહ્યું છે
લોકોને ખોટી માહિતી આપતી આવી ટ્વીટ્સને દૂર કરવા પગલાં પણ લેવામાં આવશે
જો હવે ટ્વિટર પર ગેરમાર્ગે દોરતી ખોટી માહિતી શેર કરશો તો થશે કાર્યવાહી
ટ્વિટરે તેના બ્લોગ પોસ્ટમાં લખ્યું છે, "જો અમને કોઈ ટ્વિટમાં શેર કરેલી માહિતી નકલી કે ચેડાં કરાયેલી જમાશે તો અમે તે ટ્વીટ પર અંગે યુઝર્સને ચેતવણી અપાશે. જેથી યુઝર તેને રિટ્વિટ કે લાઇક કરવું કે નહીં તેનો નિર્ણય કરી શકશે. આ સિવાય, નવા નિયમો અનુસાર ટ્વિટર પર આવી ટ્વિટ્સની પહોંચ ઓછી થાય તે માટે પ્રયાસ કરાશે.આવી ટ્વિટ પર ટ્વિટર પોતે વધારાની સ્પષ્ટતા અથવા માહિતી પણ આપશે. મીડિયા અથવા વિડીયો ચેડાં કરાયેલા છે કે કેમ તેની પણ હવે તપાસ કરાશે.
આ ઉપરાંત કંપની વિડીયોમાં નવો અવાજ ઉમેરવામાં આવ્યો છે કે કેમ અથવા તેમાં અપાયેલા ટાઇટલની પણ ચકાસણી કરશે. કંપની એ પણ જોશે કે કોઈ વ્યક્તિ બતાવતો વિડીયો ઓરિજનલ છે કે પછી તેમાં કોઇ પ્રકારના ફેરફાર કરાયા છે. ઉલ્લ્ખનીય છે કે અત્યારે ટ્વિટર સહિત સોશિયલ મિડીયાનો વ્યાપક ઉપયોગ ફેક ન્યુઝ અને ચેડાં વિડીયો મોકલવાનું પ્રમાણ વધ્યું છે. એક રીતે જોઇએ તો ખાસ કરીને વૈચારિક લડાઇ માટે ટ્વિટર અત્યારે એક મહત્વનું પ્લેટફોર્મ બન્યું છે.