વિટામિન-ડીની કમી ડિપ્રેશન પેદા કરી શકે છે, પરંતુ આજની ભાગદોડભરી લાઇફસ્ટાઇલમાં આપણે તેના પર ધ્યાન આપી શકતાં નથી. કેટલાક આહાર એવા છે, વિટામિન-ડી ધરાવે છે.
જાણો તમને વિટામિન Dની ઉણપ છે કે નહી
આ લક્ષણો જોવા મળે તો તમને વિટામિન Dની ઉણપ છે
જાણો ક્યા પ્રકારનો આહાર લેવો જોઈએ
શરીરમાં વિટામિન-ડીની યોગ્ય માત્રા દરેક વ્યક્તિ માટે ખૂબ જરૂરી છે. વિટામિન-ડી હાડકાં માટે ફાયદાકારક છે. આ ઉપરાંત કોલેસ્ટ્રોલના લેવલને પણ ઘટાડે છે. શરીરમાં વિટામિન-ડીની કમી ડિપ્રેશન પેદા કરી શકે છે, પરંતુ આજની ભાગદોડભરી લાઇફસ્ટાઇલમાં આપણે તેના પર ધ્યાન આપી શકતાં નથી. કેટલાક આહાર એવા છે, જે પ્રચુર માત્રામાં વિટામિન-ડી ધરાવે છે.
ગાયનું દૂધ
ગાયનું દૂધ આપણી દૈનિક વિટામિન-ડીની જરૂરિયાતના ૨૦ ટકા ભાગને પૂરો કરે છે. આ સિવાય તેમાંથી કેલ્શિયમ પણ મળી રહે છે. તમારે સંપૂર્ણ ચરબીયુક્ત દૂધ પીવું, કારણ કે તેમાં વિટામિન-ડીની માત્રા વધુ હોય છે
દલિયા
અન્ય અનાજની જેમ દલિયા પણ વિટામિન-ડીની પ્રચુર માત્રા ધરાવે છે. આ સિવાય ઓટ્સમાં જરૂરી ખિનજ અને વિટામિન ઉપરાંત કાર્બ્સ પણ હોય છે.
દહીંનું સેવન
પ્રોટીનથી સમૃદ્ધ, દહીંમાં વિટામિન-ડી પણ હોય છે. જો તમે બહારથી દહીં ખરીદતાં હો તો લેબલ જરૂર વાંચો, કારણ કે દહીંના આ ફોર્ટિફાઇટ ફ્લેવર્સ સ્વાદના ચક્કરમાં વધુ પ્રમાણમાં ખાંડ ઉમેરી દે છે. તેથી શક્ય હોય તો ઘરે બનેલું દહીં ખાવું.
સંતરાં
સંતરાંના જ્યૂસમાં વિટામિન-ડી અને વિટામિન- સીની માત્રા ખૂબ સારી હોય છે. જે સ્વાસ્થ્ય માટે ખૂબ લાભદાયી છે. નાસ્તામાં રોજ તાજાં સંતરાંનો રસ સામેલ કરવાથી તમને દિવસભર સ્ફુર્તિનો અહેસાસ થશે.
મશરૂમ
મશરૂમ સૂર્યપ્રકાશમાં જ ઊછરે છે અને તેથી તેમાં વિટામિન-ડી ભરપૂર હોય છે. ઉપરાંત મશરૂમમાંથી તમને વિટામિન-બીવન, બીટુ, બીફાઇવ પણ મળી રહેશે. યાદ રાખો કે પ્રાકૃતિક સૂર્યપ્રકાશમાં ઊગતા મશરૂમનું સેવન કરવું.
એગ યોક
ઇંડાના યોકમાં પણ વિટામિન-ડીનું પ્રમાણ ખૂબ સારું હોય છે, તેમાં વધુ કેલરી અને ચરબી પણ હોય છે, જોકે તેમાં પ્રોટીન અને સારા કાર્બ્સ પણ રહેલા છે, પરંતુ દિવસ દરમિયાન એકથી વધુ ઇંડાનો યોક ન ખાઓ.
વિટામિન-ડીની ઊણપનાં લક્ષણો
- જો તમે વધુ થાક અનુભવો છો તો તમારા શરીરમાં વિટામિન-ડીની કમી હોઇ શકે છે.
- સાંધા કે સ્નાયુઓનો દુખાવો, શરીરમાં સામાન્ય નબળાઇ કે ચાલવામાં મુશ્કેલી થવી
- વધુ પ્રમાણમાં વાળ ખરવા
- ઇજાઓમાં રૂઝ ન આવવી અથવા ખૂબ સમય લાગવો
- લાંબા સમયની પાચન સંબંધિત સમસ્યા
- શરીરમાં વિટામિન-ડીની ઊણપવાળા મોટા ભાગના લોકોને હતાશાનો સામનો કરવો પડે છે.