શનિદેવ ગુસ્સે થઈ જાય છે તો રાજાને પણ રંક બનાવી દે છે એવામાં જ્યોતિષમાં કેટલાક એવા સંકેતો વિશે પણ જણાવવામાં આવ્યું છે જેના દ્વારા તમે જાણી શકો છો કે શનિદેવ પ્રસન્ન છે કે નહીં.
શનિદેવ લોકોને તેમના કર્મો અનુસાર ફળ અને સજા આપે છે
શનિદેવ ગુસ્સે થઈ જાય છે તો રાજાને પણ રંક બનાવી દે
આ સંકેતો દ્વારા જાણી શકાય કે શનીદેવ પ્રસન્ન છે કે નહીં
આપણા હિંદુ ધર્મમાં દરેક દિવસ કોઈને કોઈ દેવી દેવતાને સમર્પિત છે અને કહેવાય છે કે શનિવાર શનિદેવને સમર્પિત છે. ખાસ શનિવારના દિવસે શનિદેવની પૂજા કરવાથી અને કેટલાક ઉપાય કરવાથી શનિદેવને પ્રસન્ન કરી શકાય છે. માન્યતાઓ અનુસાર જ્યારે પણ શનિદેવ પ્રસન્ન થાય છે ત્યારે તે તેના ભક્તોને ધનવાન બનાવી દે છે. પણ જ્યારે શનિદેવ ગુસ્સે થાય છે ત્યારે એમની ક્રૂર દ્રષ્ટિ મનુષ્યનો નાશ કરે છે. શનિને ન્યાયના દેવતા કહેવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્રમાં શનિદેવને દંડાધિકારી માનવામાં આવ્યા છે. આ સાથે જ એવી માન્યતા છે કે શનિદેવ લોકોને તેમના કર્મો અનુસાર ફળ અને સજા આપે છે. એટલા માટે વ્યક્તિએ હંમેશા સારા કાર્યો કરવા જોઈએ, કારણ કે જો શનિદેવ ગુસ્સે થઈ જાય છે તો રાજાને પણ રંક બનાવી દે છે.
જો કે જ્યોતિષમાં કેટલાક એવા સંકેતો વિશે પણ જણાવવામાં આવ્યું છે જેના દ્વારા તમે જાણી શકો છો કે શનિદેવ પ્રસન્ન છે કે નહીં. એવામાં જો તમે શનિવારે આમાંથી કોઈ એક વસ્તુ જોવા મળે તો સમજી લો કે શનિદેવ તમારા પર મહેરબાન છે અને તમારો સારો સમય જલ્દી શરૂ થવા જઈ રહ્યો છે. ચાલો જાણીએ કયા છે એ સંકતો..
વહેલી સવારે ભિખારીના દર્શનઃ
એવું માનવામાં આવે છે કે જો શનિવારે વહેલી સવારે કોઈ ભિખારીને જુઓ અને એ તમારી પાસેથી કંઈક માંગે તો તે શુભ સંકેત માનવામાં આવે છે. તેનો અર્થ એ છે કે શનિદેવ તમારા પર પ્રસન્ન છે. એટલા માટે એવા સમયે ક્ષમતા અનુસાર ભિખારીની યોગ્ય રીતે મદદ કરવી જોઈએ.
સફાઇ કર્મચારીઓ દેખાવા:
જો શનિવારે સફાઈ કામદાર દેખાય આવે અને ખાસ કરીને જો કોઈ વ્યક્તિ જમીન સાફ કરતી જોવા મળે તો તે પણ શુભ માનવામાં આવે છે. આ સિવાય જો તમારા ઘરે કોઈ સફાઈ કામદાર હોય તો તેને શનિવારે કંઈક દાન કરવું જોઈએ, એમ કરવાથી ધનમાં વધારો થાય છે.
કાળો કૂતરોઃ
જો શનિવારે શનિ મંદિરની સામે કાળો કૂતરો દેખાય તો તે પણ તમારા માટે શુભ સંકેત છે. આ દિવસે કાળા કૂતરાને રોટલી ખવડાવો, તેનાથી તમને શનિદેવની કૃપા પ્રાપ્ત થશે.
કાળો કાગડોઃ
શનિવારના દિવસે જો કોઈ કાળો કાગડો ઘરના આંગણામાં પાણી પીવા આવે છે અથવા તમારા દ્વારા રાખવામાં આવેલ ઘરની સામે પાણી પીવે છે તો તે ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે શનિદેવ પ્રસન્ન થાય છે.
કાળી ગાયઃ
શનિવારના દિવસે જો તમે કોઈ મહત્વપૂર્ણ કામ માટે જઈ રહ્યા હોવ અને રસ્તામાં તમને કાળી ગાય દેખાય તો તે કામ ચોક્કસથી પૂર્ણ થઈ જશે. એટલા માટે કહેવાય છે કે શનિવારે કાળી ગાયની પૂજા અવશ્ય કરવી જોઈએ.
Disclaimer:
અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. vtvgujarati.comકોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.